નવસારીઃ નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના ૪૯૮૨૦૬ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આજે કોરોના પોઝીટીવના ૦૫ કેસ નોધાયાં છે. આજદિન સુધીમાં કુલ ૭૩૨૪ પોઝીટીવ કેસો નોધાયા છે. જિલ્લામાં ૩૫ કોવિડ હોસ્પિટલમાં ઍકટીવ કેસ છે. કુલ ૭૦૯૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૯૪ વ્યકિતઓના મૃત્યુ થયા છે. તેમ નવસારી જિલ્લા પંચાયત આરોગ્યશાખાની યાદીમાં જણાવ્યું છે.