June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા. 02: 1972 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમનું 1લી જાન્‍યુઆરી, 2023ના રોજ વડોદરાની એક હોસ્‍પિટલમાં સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સમસ્‍યાઓના કારણે નિધન થયું હતું. તેમને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍ય સચિવ તરીકે સેવા આપવાનું ગૌરવ હતું, જ્‍યાં તેમણે તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મુખ્‍ય સચિવ તરીકે સેવા આપી હતી.
તેમના નિધન પર શોક વ્‍યક્‍ત કરતા, પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ જણાવ્‍યું હતું કે, તેમના બેચમેટ અને નજીકના મિત્રનું દુઃખદ અવસાન એ એક અપુરતી અંગત ખોટ છે. તેમણે કહ્યું કેડૉ. મંજુલા સૌથી તેજસ્‍વી, સૌથી સમર્પિત અને અત્‍યંત કર્તવ્‍યનિષ્ઠ અધિકારીઓમાંના એક હતા.
ડો. પી.કે. મિશ્રાએ યાદ કર્યું કે કેવી રીતે તેણીએ ડીડીઓ જામનગર, કલેક્‍ટર અમરેલી અને જૂનાગઢ અને વિવિધ વિભાગોના અધિક મુખ્‍ય સચિવ અને સરકારના મુખ્‍ય સચિવ તરીકે વિવિધ ક્ષમતાઓમાં ગુજરાતમાં સેવા આપી હતી. આ દરમિયાન તેણીએ કેન્‍દ્રમાં વાણિજ્‍ય મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ કામ કર્યું હતું. તેમણે અવલોકન કર્યું કે, તેણીએ ખૂબ જ વિશિષ્ટતા સાથે સેવા આપી છે અને એક વારસો છોડયો છે જે આવનારા વર્ષો સુધી જાળવી રાખવામાં આવશે.

Related posts

વાપી ચલામાં અન્‍ડર વોટર ટનલ માછલીઘર અનેએમ્‍યુઝમેન્‍ટ પાર્કનો પ્રારંભ : બે મહિના સુધી ચાલશે

vartmanpravah

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી  સતત વિકાસના લક્ષ્યો માટે સંઘપ્રદેશ સ્‍તરીય ફ્રેમવર્કના નિર્માણ ઉપર દમણમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જીંદગી જોખમાય તેવો બાઈક ઉપર સ્‍ટંટ કરનાર યુવાનને ટ્રાફીક પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન થ્રીડી સ્‍ટેટ ભારત સ્‍કાઉટ ગાઇડના પ્રમુખ બનશે

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

Leave a Comment