October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા. 02: 1972 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમનું 1લી જાન્‍યુઆરી, 2023ના રોજ વડોદરાની એક હોસ્‍પિટલમાં સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સમસ્‍યાઓના કારણે નિધન થયું હતું. તેમને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍ય સચિવ તરીકે સેવા આપવાનું ગૌરવ હતું, જ્‍યાં તેમણે તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મુખ્‍ય સચિવ તરીકે સેવા આપી હતી.
તેમના નિધન પર શોક વ્‍યક્‍ત કરતા, પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ જણાવ્‍યું હતું કે, તેમના બેચમેટ અને નજીકના મિત્રનું દુઃખદ અવસાન એ એક અપુરતી અંગત ખોટ છે. તેમણે કહ્યું કેડૉ. મંજુલા સૌથી તેજસ્‍વી, સૌથી સમર્પિત અને અત્‍યંત કર્તવ્‍યનિષ્ઠ અધિકારીઓમાંના એક હતા.
ડો. પી.કે. મિશ્રાએ યાદ કર્યું કે કેવી રીતે તેણીએ ડીડીઓ જામનગર, કલેક્‍ટર અમરેલી અને જૂનાગઢ અને વિવિધ વિભાગોના અધિક મુખ્‍ય સચિવ અને સરકારના મુખ્‍ય સચિવ તરીકે વિવિધ ક્ષમતાઓમાં ગુજરાતમાં સેવા આપી હતી. આ દરમિયાન તેણીએ કેન્‍દ્રમાં વાણિજ્‍ય મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ કામ કર્યું હતું. તેમણે અવલોકન કર્યું કે, તેણીએ ખૂબ જ વિશિષ્ટતા સાથે સેવા આપી છે અને એક વારસો છોડયો છે જે આવનારા વર્ષો સુધી જાળવી રાખવામાં આવશે.

Related posts

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

વલસાડ ગ્રીનપાર્ક સોસાયટીમાં છૂટક ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયું: 3.6 કિ.ગ્રા. ગાંજો તથા રૂા.1.67 લાખ રોકડા ઝડપાયા

vartmanpravah

શ્રેષ્‍ઠ ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારિતોષિક એનાયત

vartmanpravah

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment