April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમના નિધન પર શોક વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા. 02: 1972 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડૉ. મંજુલા સુબ્રમણ્‍યમનું 1લી જાન્‍યુઆરી, 2023ના રોજ વડોદરાની એક હોસ્‍પિટલમાં સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સમસ્‍યાઓના કારણે નિધન થયું હતું. તેમને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍ય સચિવ તરીકે સેવા આપવાનું ગૌરવ હતું, જ્‍યાં તેમણે તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના મુખ્‍ય સચિવ તરીકે સેવા આપી હતી.
તેમના નિધન પર શોક વ્‍યક્‍ત કરતા, પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ જણાવ્‍યું હતું કે, તેમના બેચમેટ અને નજીકના મિત્રનું દુઃખદ અવસાન એ એક અપુરતી અંગત ખોટ છે. તેમણે કહ્યું કેડૉ. મંજુલા સૌથી તેજસ્‍વી, સૌથી સમર્પિત અને અત્‍યંત કર્તવ્‍યનિષ્ઠ અધિકારીઓમાંના એક હતા.
ડો. પી.કે. મિશ્રાએ યાદ કર્યું કે કેવી રીતે તેણીએ ડીડીઓ જામનગર, કલેક્‍ટર અમરેલી અને જૂનાગઢ અને વિવિધ વિભાગોના અધિક મુખ્‍ય સચિવ અને સરકારના મુખ્‍ય સચિવ તરીકે વિવિધ ક્ષમતાઓમાં ગુજરાતમાં સેવા આપી હતી. આ દરમિયાન તેણીએ કેન્‍દ્રમાં વાણિજ્‍ય મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ કામ કર્યું હતું. તેમણે અવલોકન કર્યું કે, તેણીએ ખૂબ જ વિશિષ્ટતા સાથે સેવા આપી છે અને એક વારસો છોડયો છે જે આવનારા વર્ષો સુધી જાળવી રાખવામાં આવશે.

Related posts

ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્‍ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા માહ્યાવંશી સેવા ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પાર્ટીને અલવિદાનો સિલસિલો યથાવત

vartmanpravah

વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન એન્‍ડ વી.એન. સવાણી સ્‍કૂલ કિલ્લા પારડી ઓલ ઈન્‍ડિયા લેવલ આઈપીએસસી યુ-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

vartmanpravah

Leave a Comment