February 4, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

આ વર્ષે વરસાદ ભૂક્કા કાઢી નાખશે ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18
લોકવાયકા મુજબ ટીટોડી ઈંંડા મુકે એટલે ચોમાસું નજીક આવે અને સારું જાઈ એવું કહેવાય છે ત્‍યારે ચીખલી તાલુકાના સાદકપોર ગામે એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલના ખેતરની બાજુમાં ટીટોડીના ચાર ઇંડા જોવા મળ્‍યા હતા. ટીટોડી વિશે એવું માનવામાં આવે છે કે તે તીવ્ર જ્ઞાનેન્‍દ્રિય ધરાવે છે અને માદા ટીટોડી જે પ્રમાણે ઈંડા મૂકે તેના પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસુ ખૂબ સારું જવાનું અનુમાન કરાઈ છે જ્‍યારે એક જૂની માન્‍યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્‍યમ વરસાદ પડે છે અને 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે.
લોકવાયકા અનુસાર ટીટોડી 5 ઈંડા મૂકે તો અતિવળષ્ટિનું અનુમાન માનવામાં આવે છે જ્‍યારે ટીટોડી ચાર ઈંડા મુક્‍તિ હોઈ છે આ ચાર ઈંડા પરથી એક ઈંડા આધારે એક મહિનો એમ ચાર મહિના જુન, જુલાઈ,ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે.

Related posts

દીવ જિલ્લા ભાજપે રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પ્રમુખ એમ. વેંકટેશનની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા અમલમાં આવેલ જુદા જુદા ગામોના જંત્રી દર : સૌથી વધુ દર બલીઠા, સૌથી ઓછો કુંતામાં

vartmanpravah

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment