Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

આ વર્ષે વરસાદ ભૂક્કા કાઢી નાખશે ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18
લોકવાયકા મુજબ ટીટોડી ઈંંડા મુકે એટલે ચોમાસું નજીક આવે અને સારું જાઈ એવું કહેવાય છે ત્‍યારે ચીખલી તાલુકાના સાદકપોર ગામે એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલના ખેતરની બાજુમાં ટીટોડીના ચાર ઇંડા જોવા મળ્‍યા હતા. ટીટોડી વિશે એવું માનવામાં આવે છે કે તે તીવ્ર જ્ઞાનેન્‍દ્રિય ધરાવે છે અને માદા ટીટોડી જે પ્રમાણે ઈંડા મૂકે તેના પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસુ ખૂબ સારું જવાનું અનુમાન કરાઈ છે જ્‍યારે એક જૂની માન્‍યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્‍યમ વરસાદ પડે છે અને 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે.
લોકવાયકા અનુસાર ટીટોડી 5 ઈંડા મૂકે તો અતિવળષ્ટિનું અનુમાન માનવામાં આવે છે જ્‍યારે ટીટોડી ચાર ઈંડા મુક્‍તિ હોઈ છે આ ચાર ઈંડા પરથી એક ઈંડા આધારે એક મહિનો એમ ચાર મહિના જુન, જુલાઈ,ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે.

Related posts

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

દમણ-દીવ સહિત સમગ્ર ગુજરાતમાં ઓગસ્‍ટ-2022 સુધી દરિયામાં યાંત્રિક બોટો દ્વારા થતી મચ્‍છીમારી ઉપર પ્રતિબંધ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની લાઈબ્રેરીની મુલાકાત લેતા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે તથા કેન્‍દ્રિય પંચાયતી રાજ રાજ્‍યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

Leave a Comment