Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

આ વર્ષે વરસાદ ભૂક્કા કાઢી નાખશે ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.18
લોકવાયકા મુજબ ટીટોડી ઈંંડા મુકે એટલે ચોમાસું નજીક આવે અને સારું જાઈ એવું કહેવાય છે ત્‍યારે ચીખલી તાલુકાના સાદકપોર ગામે એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલના ખેતરની બાજુમાં ટીટોડીના ચાર ઇંડા જોવા મળ્‍યા હતા. ટીટોડી વિશે એવું માનવામાં આવે છે કે તે તીવ્ર જ્ઞાનેન્‍દ્રિય ધરાવે છે અને માદા ટીટોડી જે પ્રમાણે ઈંડા મૂકે તેના પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. ટીટોડી ચાર ઈંડા મૂકે તો ચોમાસુ ખૂબ સારું જવાનું અનુમાન કરાઈ છે જ્‍યારે એક જૂની માન્‍યતા અનુસાર ટીટોડી 2 ઈંડા મૂકે તો મધ્‍યમ વરસાદ પડે છે અને 4 ઈંડા મૂકે તો ખૂબ સારું ચોમાસું રહે છે.
લોકવાયકા અનુસાર ટીટોડી 5 ઈંડા મૂકે તો અતિવળષ્ટિનું અનુમાન માનવામાં આવે છે જ્‍યારે ટીટોડી ચાર ઈંડા મુક્‍તિ હોઈ છે આ ચાર ઈંડા પરથી એક ઈંડા આધારે એક મહિનો એમ ચાર મહિના જુન, જુલાઈ,ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર એમ ચાર મહિના સુધી ચોમાસું રહે છે.

Related posts

નગવાસથી સુરજીભાઇ ગુમ

vartmanpravah

નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પાસ કરી શુભ શરૂઆત કરતું ભાજપ

vartmanpravah

સરીગામ જીઆઈડીસી સહિત સમગ્ર તાલુકામાં કેમેરાથી શુટીંગકરી બ્‍લેકમેઈલ કરનાર ટોળકીનો વધેલો આતંક

vartmanpravah

ચીખલી હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માતમાં હોન્‍ડના આધેડનું મોત

vartmanpravah

ચીખલી તાલુકાના દેગામમાં ખાનગી કંપની દ્વારા પનીયારી ખાડીના પટમાં દબાણ અને સ્‍થાનિકોને રોજગારી સહિતના મુદ્દે બીટીટીના પ્રદેશ મહામંત્રીની રજૂઆત બાદ સીએમ કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટરને તપાસ સોંપાઈ

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

Leave a Comment