Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

નાયલાપારડીની સરકારી પ્રાથમિક શાળામાં પહોંચી ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મિઠાઈ આપી તેમની સાથે રીનાબેન પટેલ અને તેમના પતિ હરીશભાઈ પટેલે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
દમણ જિલ્લા પંચાયતના સોમનાથ-એ વિભાગના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલે પોતાના જન્‍મદિવસની ઉજવણી શાળામાં આદિવાસી સમુદાયના બાળકો સાથે આગવી રીતે કરી હતી અને આ જરૂરિયાતમંદ બાળકોને ઠંડીની ઋતુ માટે સ્‍વેટરની પણ ભેટ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારી પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મદિન નિમિત્તે ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.
પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય તથા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મ દિવસનિમિત્તે ધોરણ-1 અને ધોરણ-રના બાળકોને સ્‍વેટર તથા બાળકોને મીઠાઈ આપવામાં આવી હતી. હાલ ઠંડીનો સમય આવી ગયો છે ત્‍યારે નાના બાળકો માટે સ્‍વેટર ખુબ ઉપયોગી હોય છે. બાળકો સ્‍વેટર આપતા તેઓ ખુબ આનંદિત થઈ ગયા હતા.
શાળાના સ્‍વેટર વિતરણ કાર્યક્રમમાં પરિયારી પંચાયતના ડેપ્‍યુટી સરંપચ શ્રી સંતોષભાઈ હળપતિ તથા ગામના યુવાનો જોડાયા હતા. આ શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી નવીનભાઈ સી.ધોડી તરફથી તેમને પુષ્‍પગુચ્‍છ આપી જન્‍મદિનની શુભકામના પાઠવી હતી. આ શાળાની શિક્ષિકા બહેનોએ આ કામમાં ખુબ સહકાર રહ્યો હતો.
આ શાાળાના બાળકોને ગરમ સ્‍વેટર તથા મીઠાઈ વહેંચી રીનાબેન પટેલે જન્‍મદિવસની ઉજવણી કરી તે ખુબ સરાહનીય કાર્ય છે શાળા પરિવારે આભાર માન્‍યો હતો.

Related posts

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો

vartmanpravah

વલસાડ કોપરી ફાટક ઉપર બસ ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા : ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

Leave a Comment