Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

નાયલાપારડીની સરકારી પ્રાથમિક શાળામાં પહોંચી ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મિઠાઈ આપી તેમની સાથે રીનાબેન પટેલ અને તેમના પતિ હરીશભાઈ પટેલે ઉજવેલો જન્‍મદિવસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17
દમણ જિલ્લા પંચાયતના સોમનાથ-એ વિભાગના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલે પોતાના જન્‍મદિવસની ઉજવણી શાળામાં આદિવાસી સમુદાયના બાળકો સાથે આગવી રીતે કરી હતી અને આ જરૂરિયાતમંદ બાળકોને ઠંડીની ઋતુ માટે સ્‍વેટરની પણ ભેટ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારી પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મદિન નિમિત્તે ધોરણ-1 અને રના બાળકોને સ્‍વેટર તથા મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી.
પ્રાથમિક શાળા નાયલાપારડીમાં સોમનાથ પંચાયત-એના જિલ્લા પંચાયત સભ્‍ય તથા બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલ તરફથી તેમના જન્‍મ દિવસનિમિત્તે ધોરણ-1 અને ધોરણ-રના બાળકોને સ્‍વેટર તથા બાળકોને મીઠાઈ આપવામાં આવી હતી. હાલ ઠંડીનો સમય આવી ગયો છે ત્‍યારે નાના બાળકો માટે સ્‍વેટર ખુબ ઉપયોગી હોય છે. બાળકો સ્‍વેટર આપતા તેઓ ખુબ આનંદિત થઈ ગયા હતા.
શાળાના સ્‍વેટર વિતરણ કાર્યક્રમમાં પરિયારી પંચાયતના ડેપ્‍યુટી સરંપચ શ્રી સંતોષભાઈ હળપતિ તથા ગામના યુવાનો જોડાયા હતા. આ શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી નવીનભાઈ સી.ધોડી તરફથી તેમને પુષ્‍પગુચ્‍છ આપી જન્‍મદિનની શુભકામના પાઠવી હતી. આ શાળાની શિક્ષિકા બહેનોએ આ કામમાં ખુબ સહકાર રહ્યો હતો.
આ શાાળાના બાળકોને ગરમ સ્‍વેટર તથા મીઠાઈ વહેંચી રીનાબેન પટેલે જન્‍મદિવસની ઉજવણી કરી તે ખુબ સરાહનીય કાર્ય છે શાળા પરિવારે આભાર માન્‍યો હતો.

Related posts

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્‍મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્‍ઠ દૃષ્‍ટાંત

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

Leave a Comment