Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

માગશર માસમાં આદ્રા નક્ષત્રના દિને શિવપૂજા કરવાનો અપરંપાર મહિમા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી ડુંગરા ચણોદ કોલોની ખાતે આવેલ અંબામાતા મંદિરના શિવાલયમાં ભવ્‍ય શિવજી મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો ભાવિક ભક્‍તોએ શિવજીને બીલીપત્ર, ફુલ અને અભિષેક કરી ધન્‍યતા અનુભવી હતી.
માગશર મહિનામાં આદ્રા નક્ષત્રનો દિવસ શુભ ગણાય છે. આ દિવસે ભગવાન શીવની પૂજા અર્ચના કરવામાં આવે તો 100 શિવરાત્રીની પૂજાનું ફળ મળે છે. તે અનુસંધાનમાં વાપી ચણોદ કોલોનીમાં આવેલ અંબામાતા મંદિરના પ્રાંગણના શિવાલયમાં ગતરોજ ભવ્‍ય શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
હરિયાપાર્ક વસાહતમાં રહેતા સેંકડો શિવ ભક્‍તોએ શિવ મહાપૂજામાં ભાગ લઈને ભોળાનાથને બીલી, પૂષ્‍પ અને અભિષેક કર્યો હતો. મહિમવંતા દિવસે ખાસ શિવપૂજાનું આયોજનનું આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

સંઘપ્રદેશની જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ટીમે તેલંગાણાને 10-0થી આપેલી હાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઈનોવેશન હબ, જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરની બે ટીમ ગવર્મેન્‍ટ એન્‍જિનિયરિંગ કોલેજ વલસાડ ખાતે યોજાયેલ નેશનલ લેવલ ટેકફેસ્‍ટ ઈનફિનિયમ 2023: ‘‘એન્‍ડલેસ ઈનોવેશન રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા થઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્‍ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્‍ચથી માંડી નિમ્‍ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્‍ડમાં જતા થયા છે

vartmanpravah

Leave a Comment