Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

માગશર માસમાં આદ્રા નક્ષત્રના દિને શિવપૂજા કરવાનો અપરંપાર મહિમા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી ડુંગરા ચણોદ કોલોની ખાતે આવેલ અંબામાતા મંદિરના શિવાલયમાં ભવ્‍ય શિવજી મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો ભાવિક ભક્‍તોએ શિવજીને બીલીપત્ર, ફુલ અને અભિષેક કરી ધન્‍યતા અનુભવી હતી.
માગશર મહિનામાં આદ્રા નક્ષત્રનો દિવસ શુભ ગણાય છે. આ દિવસે ભગવાન શીવની પૂજા અર્ચના કરવામાં આવે તો 100 શિવરાત્રીની પૂજાનું ફળ મળે છે. તે અનુસંધાનમાં વાપી ચણોદ કોલોનીમાં આવેલ અંબામાતા મંદિરના પ્રાંગણના શિવાલયમાં ગતરોજ ભવ્‍ય શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
હરિયાપાર્ક વસાહતમાં રહેતા સેંકડો શિવ ભક્‍તોએ શિવ મહાપૂજામાં ભાગ લઈને ભોળાનાથને બીલી, પૂષ્‍પ અને અભિષેક કર્યો હતો. મહિમવંતા દિવસે ખાસ શિવપૂજાનું આયોજનનું આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

Leave a Comment