Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

માગશર માસમાં આદ્રા નક્ષત્રના દિને શિવપૂજા કરવાનો અપરંપાર મહિમા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21
વાપી ડુંગરા ચણોદ કોલોની ખાતે આવેલ અંબામાતા મંદિરના શિવાલયમાં ભવ્‍ય શિવજી મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો ભાવિક ભક્‍તોએ શિવજીને બીલીપત્ર, ફુલ અને અભિષેક કરી ધન્‍યતા અનુભવી હતી.
માગશર મહિનામાં આદ્રા નક્ષત્રનો દિવસ શુભ ગણાય છે. આ દિવસે ભગવાન શીવની પૂજા અર્ચના કરવામાં આવે તો 100 શિવરાત્રીની પૂજાનું ફળ મળે છે. તે અનુસંધાનમાં વાપી ચણોદ કોલોનીમાં આવેલ અંબામાતા મંદિરના પ્રાંગણના શિવાલયમાં ગતરોજ ભવ્‍ય શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
હરિયાપાર્ક વસાહતમાં રહેતા સેંકડો શિવ ભક્‍તોએ શિવ મહાપૂજામાં ભાગ લઈને ભોળાનાથને બીલી, પૂષ્‍પ અને અભિષેક કર્યો હતો. મહિમવંતા દિવસે ખાસ શિવપૂજાનું આયોજનનું આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

સેલવાસની સનફાર્મા કંપનીના કર્મચારીઓ ઈન્‍દોર ખાતે નહીં જાય તો નોકરીમાંથી છૂટા કરવાની ચીમકી

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી લિ.એ આગામી ટ્રાફિક વિભાગના પ્રશિક્ષણ માટે કરાયું ‘એક લોન્‍ચ ઈવેન્‍ટ’નું આયોજન

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

વલસાડમાં શ્રી કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાશે

vartmanpravah

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment