માગશર માસમાં આદ્રા નક્ષત્રના દિને શિવપૂજા કરવાનો અપરંપાર મહિમા છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21
વાપી ડુંગરા ચણોદ કોલોની ખાતે આવેલ અંબામાતા મંદિરના શિવાલયમાં ભવ્ય શિવજી મહાપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેંકડો ભાવિક ભક્તોએ શિવજીને બીલીપત્ર, ફુલ અને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
માગશર મહિનામાં આદ્રા નક્ષત્રનો દિવસ શુભ ગણાય છે. આ દિવસે ભગવાન શીવની પૂજા અર્ચના કરવામાં આવે તો 100 શિવરાત્રીની પૂજાનું ફળ મળે છે. તે અનુસંધાનમાં વાપી ચણોદ કોલોનીમાં આવેલ અંબામાતા મંદિરના પ્રાંગણના શિવાલયમાં ગતરોજ ભવ્ય શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હરિયાપાર્ક વસાહતમાં રહેતા સેંકડો શિવ ભક્તોએ શિવ મહાપૂજામાં ભાગ લઈને ભોળાનાથને બીલી, પૂષ્પ અને અભિષેક કર્યો હતો. મહિમવંતા દિવસે ખાસ શિવપૂજાનું આયોજનનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.