April 27, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

  • અગામી તા.ર6મી જાન્‍યુઆરી, ર0રર સુધી દમણના દરેક ગામમાં વોર્ડ દીઠ સાપ્તાહિક આવી ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરાશે કે જેથી જનતાને સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક જન ભાગીદારી આંદોલન બનાવી શકાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
દમણ જિલ્લા પંચાયતે સ્‍વચ્‍છતા જાળવવા અને કચરાના નિકાલ તથા પ્રબંધન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાંજના સમયે ચૌપાલ(ચોતરા બેઠક)ના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેના ઉપલક્ષમાં આજરોજ કચીગામ ગ્રામ પંચાયત ખાતે ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ હતી.
પ્રાપ્‍ત માહિતી પ્રમાણે દમણની કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાની ઉપસ્‍થિતમાંકચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ છનુભાઈ પટેલની રૂબરૂમાં ચોતરા બેઠક યોજી હતી.
આ બેઠકમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અગામી ર6મી જાન્‍યુઆરીથી લાગુ થનાર સોલિડ વેસ્‍ટ(હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં લોકોને જાગૃત કરાયા હતા. જેમાં કચરાની વિવિધ શ્રેણીઓ જેવી કે બાયો ડિગેડેબલ વેસ્‍ટ, નોન બાયો ડિગ્રેડેબલ વેસ્‍ટ, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ, જોખમી કચરો, બાયો મેડિકલ વેસ્‍ટ, કન્‍સ્‍ટ્રક્‍શન અને ડિમોલીશન વેસ્‍ટની બાબતમાં જાગૃત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે પંચાયત વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા પ્રમાણના નિરીક્ષણ માટે ગ્રામ પંચાયત દીઠ બનાવવામાં આવેલા વોટ્‍સએપ ગ્રુપની પણ જાણકારી આપવામાં આવી હતી. આ ગ્રુપમાં સરપંચ, ચૂંટાયેલા સભ્‍યો, બીડીઓ અને પંચાયત સેક્રેટરી સામેલ છે.
ચોતરા બેઠકમાં લોકોને બાયો ડિગ્રેડેબલ, રિ-સાયકલ કચરો, નિર્દિષ્‍ટ જોખમી કચરો, બાયો મેડિકલ કચરાની બાબતમાં જાણકારી આપતા પેમ્‍ફલેટ પણ વિતરીત કરવામાં આવ્‍યા હતા. લોકોને સ્‍વચ્‍છતા સુવિધાનો ઉપયોગ કરવાની સાથે સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે પણ પ્રેરિત કરાયા હતા.
આ પ્રસંગે ઉપસ્‍થિત અધિકારીઓએ આમ લોકોને જણાવ્‍યું હતું કે, અગામી તા.ર6મી જાન્‍યુઆરી, ર0રર સુધી દમણના દરેક ગામમાં વોર્ડ દીઠ સાપ્તાહિકઆવી ચૌપાલ(ચોતરા) બેઠકનું આયોજન કરવામાં આવશે, જેથી જનતાને સોલીડ વેસ્‍ટ (હેન્‍ડલીંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) ઉપનિયમ-ર021ની બાબતમાં જાગૃત કરી શકાય અને સ્‍વચ્‍છતાને એક જન ભાગીદારી આંદોલન બનાવી શકાય.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવને સ્‍વચ્‍છ, સુંદર અને હરિયાળુ બનાવવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે તેમજ પ્રદેશના નાગરિકો સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃત કરવા માટે પ્રશાસનિક પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મુખ્‍ય અતિથિ પદે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે લક્ષદ્વીપના કવરત્તી ગાંધી સ્‍કવેર ખાતે રંગારંગ સમારોહ યોજાયો

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજીની વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

vartmanpravah

Leave a Comment