Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની આજરોજ મળનારી ખાસ સામાન્‍ય સભા કોવિડ મહામારીની વિકટ પરિસ્‍થિતિ જોતા મુલતવી રાખવામાં આવી છે.
એસઆઈએના પ્રમુખશ્રી વી.ડી.શિવદાશન, સેક્રેટરીશ્રી સમીમભાઈ રીઝવી, ઉપ પ્રમુખ શ્રી હેમંતભાઈ મડોલી, ખજાનચી શ્રી કિશોરભાઈ ગજેરા, જોઇન્‍ટ સેક્રેટરી શ્રી સેહુલભાઈ પટેલ સહિતના આગેવાન ઉધોગપતિઓની મળેલી બેઠકમાં ચર્ચા-વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્‍યો હતો.
આ ઉપરાંત બે વર્ષે યોજાતી એસઆઈએની ચૂંટણીનો સમય પણ નજીક આવી રહ્યો છે પરંતુ હાલની કોવિદ મહામારીની પ્રવર્તમાન સ્‍થિતિ જોતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી જોખમકારક જણાઈ રહ્યું છે. જેને ધ્‍યાનમાં રાખી ચૂંટણી પ્રક્રિયા પરિસ્‍થિતિ કાબૂમાં નહી આવે ત્‍યાં સુધી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. તેમજ વર્ષ 2022-2024 માટે યોજનારી ચૂંટણી પ્રક્રિયા કોવિડ મહામારીનો પ્રકોપ આવ્‍યા બાદ તાત્‍કાલિક હાથ ધરવામાં આવશે એવો આજની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડમાં શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

પારડીના પરિયામાં મહાકાય અજગર ઘર નજીક આવી મરઘાંનું મારણ કરતા ફેલાયેલો ભયનો માહોલ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વાપી અંબામાતા મંદિરમાં પ્રથમ વખત ગૌસેવાના લાભાર્થે ભાગવત કથાનો પ્રારંભ

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

Leave a Comment