April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વાંસદા બુરવડપાડા નજીક બસ પલ્‍ટીમારતા આઠ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાદરા નગર હવેલીના વાંસદા બુરવડપાડા ગામ નજીક ટેકરા પાસે પ્રાઇવેટ બસની બ્રેક ફેઈલ થઈ જતા રસ્‍તાની સાઈડ પર પલ્‍ટી મારી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર બેડપાથી દૂધની ગામે સગાઈ માટે ગયેલ સ્‍થાનિકો મીની બસ નંબર ડીડી-01-સી-9204મા ત્રીસ જેટલા વ્‍યક્‍તિઓ ગયા હતા. જેઓ રાત્રે 10 વાગ્‍યાના સુમારે પરત આવી રહ્યા હતા, ત્‍યારે વાંસદા બુરવડપાડા નજીક મોટો ટેકરો આવતા બસમા ટેક્રિકલ ખામી સર્જાતા બ્રેક ફેઈલ થઇ ગઈ હતી.
બસમા સવાર કેટલાક વ્‍યક્‍તિઓ તો સમય સુચકતા વાપરી ઉતરી ગયા હતા પરંતુ આઠ વ્‍યક્‍તિઓ અંદર જ રહી ગયા હતા. ટેકરા પરથી બસ રોડની સાઈડ પર ખાડામા જતા પલ્‍ટી ગઈ હતી. જેમાં આઠ વ્‍યક્‍તિઓ ઘાયલ થયા હતા. જેઓને તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખાનવેલ અને સેલવાસ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યા હતા.
વનિતા વાંગડ,મીના ટોકરે,સંદીપ વાંગડ,મનોજ ચૌધરી, મહિન્‍દ્રા ટોકરે, જય ટોકરે,સુમિત્રા ટોકરે, વિકાસ ખંજોડીયા તમામ રહેવાસી બેડપા જેઓને ઈજાઓ થઇ હતી. જેમા છ વ્‍યક્‍તિને ખાનવેલ સબ જીલ્લા હોસ્‍પિટલ અને બે વ્‍યક્‍તિને ગંભીર ઇજા થતા તેઓને સેલવાસ સિવિલ હોસ્‍પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યાહતા.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

ચીખલી માણેકપોરથી ગૌમાંસ સાથે એક ઝડપાયોઃ એક દિવસના રિમાન્‍ડ મંજૂર

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

સુરતમાં વહેલી સવારે ઘાતક હથિયારોથી કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગેલા પાંચ લૂંટારૂઓ વલસાડથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment