July 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વાંસદા બુરવડપાડા નજીક બસ પલ્‍ટીમારતા આઠ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાદરા નગર હવેલીના વાંસદા બુરવડપાડા ગામ નજીક ટેકરા પાસે પ્રાઇવેટ બસની બ્રેક ફેઈલ થઈ જતા રસ્‍તાની સાઈડ પર પલ્‍ટી મારી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર બેડપાથી દૂધની ગામે સગાઈ માટે ગયેલ સ્‍થાનિકો મીની બસ નંબર ડીડી-01-સી-9204મા ત્રીસ જેટલા વ્‍યક્‍તિઓ ગયા હતા. જેઓ રાત્રે 10 વાગ્‍યાના સુમારે પરત આવી રહ્યા હતા, ત્‍યારે વાંસદા બુરવડપાડા નજીક મોટો ટેકરો આવતા બસમા ટેક્રિકલ ખામી સર્જાતા બ્રેક ફેઈલ થઇ ગઈ હતી.
બસમા સવાર કેટલાક વ્‍યક્‍તિઓ તો સમય સુચકતા વાપરી ઉતરી ગયા હતા પરંતુ આઠ વ્‍યક્‍તિઓ અંદર જ રહી ગયા હતા. ટેકરા પરથી બસ રોડની સાઈડ પર ખાડામા જતા પલ્‍ટી ગઈ હતી. જેમાં આઠ વ્‍યક્‍તિઓ ઘાયલ થયા હતા. જેઓને તાત્‍કાલિક 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખાનવેલ અને સેલવાસ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યા હતા.
વનિતા વાંગડ,મીના ટોકરે,સંદીપ વાંગડ,મનોજ ચૌધરી, મહિન્‍દ્રા ટોકરે, જય ટોકરે,સુમિત્રા ટોકરે, વિકાસ ખંજોડીયા તમામ રહેવાસી બેડપા જેઓને ઈજાઓ થઇ હતી. જેમા છ વ્‍યક્‍તિને ખાનવેલ સબ જીલ્લા હોસ્‍પિટલ અને બે વ્‍યક્‍તિને ગંભીર ઇજા થતા તેઓને સેલવાસ સિવિલ હોસ્‍પિટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્‍યાહતા.

Related posts

લાઈસન્‍સ વિનાના વ્‍યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રિ-મોન્‍સુન બેઠક મળી, તમામ વિભાગના અધિકારીઓને એલર્ટ રહેવા તાકીદ કરાઈ

vartmanpravah

Leave a Comment