September 8, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાનહ સાંસદ કલાબેન ડેલકર દ્વારા કલેકટરને મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત કરી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર સેલવાસ સ્‍થિત ટ્રાઈબલ મ્‍યુઝીયમને તોડી નાંખવામા આવ્‍યું છે. એજ પ્રમાણે ઘણું જુનુ ટાઉનહોલ ક્‍લોક ટાવર પણ તોડી નાંખવામા આવ્‍યું છે. જે કોઈપણ પ્રકારનું અડચણરૂપ નહી હતું.પ્રદેશનું ટ્રાઇબલ મ્‍યુઝીયમ જે એક પર્યટક સ્‍થળ છે અહી મ્‍યુઝીયમ એ પ્રદેશની આદિવાસી સંસ્‍કળતિની વાર્તાઓ બયા કરે છે. આ ટ્રાઇબલ મ્‍યુઝીયમ આપણા પૂર્વજોની રહેણીકરણી અંગે લોકોને અવગત કરવામા આવે છે. આ મ્‍યુઝીયમ આપણી આદિવાસી સમાજની સંસ્‍કળતિઓની ઘણી ઝીણવટપૂર્વક સમજાવવામાં આવેલ છે. પ્રદેશમાં જેટલી પણ ઐતિહાસિક ઇમારતો છે એને બચાવી રાખવા જનપ્રતિનિધિ અને પ્રશાસનની જવાબદારી છે જેથી આવનાર પેઢીને આપણા ઇતિહાસથી રૂબરૂ કરી શકીએ.
પ્રદેશમાં કોઈપણ જૂની ધરોહર અને જૂની ઈમારતોને રીપેર અથવા એમા કોઈ બદલાવ કરવાની જો પ્રશાસનની યોજના હોય તો એના અમલમા લાવવા પહેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી પ્રદેશની જનતાને પણ આયોજનાઓ અંગે અવગત કરવું જોઈએ. ઉપરોક્‍ત દરેક ઘટનાઓથી પ્રદેશની જનતાની ભાવનાઓને ઘણી ઠેસ પહોંચી છે. સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતા વતી આપને જણાવવા માંગુ છે કે પ્રદેશની ઐતિહાસિક ધરોહર અને સંસ્‍કળતિને સંભાળવામાં આપણે એકબીજાને સાથ આપીએ.

Related posts

આજે વલસાડની વાંચનપ્રિય જનતાને મળશે આધુનિક પુસ્તકાલયની અણમોલ ભેટ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે સાંજે ૫ કલાકે લોકાર્પણ કરાશે

vartmanpravah

દાનહના ડોકમરડીથી 36 વર્ષીય શોભાદેવી શાહ ગુમ થયા છે

vartmanpravah

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment