January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

પ્રવર્તમાન સમયમાં વાતાવરણમાં અવાર-નવાર થતાં ફેરફારો વચ્‍ચે હવામાન મથકને લાગેલા તાળા ખોલાવી કચેરી પુનઃ કાર્યરત કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.02: ચીખલી કોલેજ રોડ ઉપર થાલા સ્‍થિત સિંચાઈ વિભાગની કચેરીનાં કેમ્‍પસમાં આવેલ હવામાન મથકની કચેરીમાં સ્‍ટાફ ઉપલબ્‍ધ ન હોવાથી કામચલાઉ કર્મચારી રાખી ગાડું ગબડાવાય રહ્યું હોવાનાું પ્રતિત થઈ રહ્યું હતું, આ વ્‍યવસ્‍થા લાંબી ન ચાલતા વર્ષ 2018થી કચેરીને તાળું જ લાગી હતું. છેલ્લા પાંચ વર્ષથી કચેરી બંધ રહેતા મકાન પણ ખંડેર થઈ જવા પામ્‍યું છે. આ ઉપરાંત કચેરીનાં ઉપકરણો પણ બિન ઉપયોગી બની ગયા છે.
ચીખલીનાં હવામાન મથકમાં ચોમાસામાં ગ્રાફીકલી અને આંકડાકીય એમ બે રીતે વરસાદ માપવામાં આવતોહતો. જેથી વરસાદનાં સચોટ આંકડા ઉપલબ્‍ધ થતા હતા. આ ઉપરાંત ગરમી અને પાણીનું બાષ્‍પીભવન, પવનની ગતિ અને દિશા સહિતની બાબતો જણાવાતી હતી. હવામાનમાં થતા અવાર-નવારનાં ફેરફારથી અવગત રહી શકાય અને સાવચેત પણ રહી શકાય તેવી સ્‍થિતિ એક સમયે હતી. પરંતુ હવે કચેરીને તાળા લાગી જતા હવામાનમાં થતા ફેરફારો જાણી શકાતા નથી. વર્તમાન સ્‍થિતિમાં હવામાનમાં થતા અવાર-નવારનાં ફેરફારથી આવગત રહી શકાય તે માટે આ કચેરી પુનઃ ધમધમતી કરવા સ્‍થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ આવે તે જરૂરી છે.

Related posts

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

વાપી છીરીમાં યુવતિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્‍યુ અને બેંક ખાતામાંથી 99 હજાર ઉપડી ગયા

vartmanpravah

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

Leave a Comment