February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

પ્રવર્તમાન સમયમાં વાતાવરણમાં અવાર-નવાર થતાં ફેરફારો વચ્‍ચે હવામાન મથકને લાગેલા તાળા ખોલાવી કચેરી પુનઃ કાર્યરત કરવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.02: ચીખલી કોલેજ રોડ ઉપર થાલા સ્‍થિત સિંચાઈ વિભાગની કચેરીનાં કેમ્‍પસમાં આવેલ હવામાન મથકની કચેરીમાં સ્‍ટાફ ઉપલબ્‍ધ ન હોવાથી કામચલાઉ કર્મચારી રાખી ગાડું ગબડાવાય રહ્યું હોવાનાું પ્રતિત થઈ રહ્યું હતું, આ વ્‍યવસ્‍થા લાંબી ન ચાલતા વર્ષ 2018થી કચેરીને તાળું જ લાગી હતું. છેલ્લા પાંચ વર્ષથી કચેરી બંધ રહેતા મકાન પણ ખંડેર થઈ જવા પામ્‍યું છે. આ ઉપરાંત કચેરીનાં ઉપકરણો પણ બિન ઉપયોગી બની ગયા છે.
ચીખલીનાં હવામાન મથકમાં ચોમાસામાં ગ્રાફીકલી અને આંકડાકીય એમ બે રીતે વરસાદ માપવામાં આવતોહતો. જેથી વરસાદનાં સચોટ આંકડા ઉપલબ્‍ધ થતા હતા. આ ઉપરાંત ગરમી અને પાણીનું બાષ્‍પીભવન, પવનની ગતિ અને દિશા સહિતની બાબતો જણાવાતી હતી. હવામાનમાં થતા અવાર-નવારનાં ફેરફારથી અવગત રહી શકાય અને સાવચેત પણ રહી શકાય તેવી સ્‍થિતિ એક સમયે હતી. પરંતુ હવે કચેરીને તાળા લાગી જતા હવામાનમાં થતા ફેરફારો જાણી શકાતા નથી. વર્તમાન સ્‍થિતિમાં હવામાનમાં થતા અવાર-નવારનાં ફેરફારથી આવગત રહી શકાય તે માટે આ કચેરી પુનઃ ધમધમતી કરવા સ્‍થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગળ આવે તે જરૂરી છે.

Related posts

ધરમપુર હનુમતમાળના મોહનપાડા ફળિયામાં કદાવર દિપડો પાંજરે પુરાયો : લોકોએ રાહત લીધી

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

ચીખલી તાલુકાના ખુંધ ગામના કોળીવાડ વિસ્‍તારમાં દીપડાની અવર-જવર વધતા ભયનો માહોલ સર્જાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રીના યશસ્‍વી જીવન માટે કરેલી પ્રાર્થના

vartmanpravah

Leave a Comment