March 4, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02
દાનહ સાંસદ કલાબેન ડેલકર દ્વારા કલેકટરને મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે લેખિત રજૂઆત કરી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર સેલવાસ સ્‍થિત ટ્રાઈબલ મ્‍યુઝીયમને તોડી નાંખવામા આવ્‍યું છે. એજ પ્રમાણે ઘણું જુનુ ટાઉનહોલ ક્‍લોક ટાવર પણ તોડી નાંખવામા આવ્‍યું છે. જે કોઈપણ પ્રકારનું અડચણરૂપ નહી હતું.પ્રદેશનું ટ્રાઇબલ મ્‍યુઝીયમ જે એક પર્યટક સ્‍થળ છે અહી મ્‍યુઝીયમ એ પ્રદેશની આદિવાસી સંસ્‍કળતિની વાર્તાઓ બયા કરે છે. આ ટ્રાઇબલ મ્‍યુઝીયમ આપણા પૂર્વજોની રહેણીકરણી અંગે લોકોને અવગત કરવામા આવે છે. આ મ્‍યુઝીયમ આપણી આદિવાસી સમાજની સંસ્‍કળતિઓની ઘણી ઝીણવટપૂર્વક સમજાવવામાં આવેલ છે. પ્રદેશમાં જેટલી પણ ઐતિહાસિક ઇમારતો છે એને બચાવી રાખવા જનપ્રતિનિધિ અને પ્રશાસનની જવાબદારી છે જેથી આવનાર પેઢીને આપણા ઇતિહાસથી રૂબરૂ કરી શકીએ.
પ્રદેશમાં કોઈપણ જૂની ધરોહર અને જૂની ઈમારતોને રીપેર અથવા એમા કોઈ બદલાવ કરવાની જો પ્રશાસનની યોજના હોય તો એના અમલમા લાવવા પહેલા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી પ્રદેશની જનતાને પણ આયોજનાઓ અંગે અવગત કરવું જોઈએ. ઉપરોક્‍ત દરેક ઘટનાઓથી પ્રદેશની જનતાની ભાવનાઓને ઘણી ઠેસ પહોંચી છે. સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશની જનતા વતી આપને જણાવવા માંગુ છે કે પ્રદેશની ઐતિહાસિક ધરોહર અને સંસ્‍કળતિને સંભાળવામાં આપણે એકબીજાને સાથ આપીએ.

Related posts

શ્રી જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજીત જગન્નાથ ભગવાનની 13મા વર્ષની રથયાત્રાનો ડુંગરા તળાવથી મંગળવારે થશે પ્રારંભ: રથ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

લાંચના ગુનામાં નાસતા ફરતા વાપીના સી.જી.એસ.ટી. ઈન્‍સ્‍પેક્‍ટરની માહિતી આપવા જોગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment