Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.18
આગામી 24 માર્ચના રોજ યોજનારી યુઆઇએના 15 એક્‍ઝિકયુટિવ કમિટીની ચૂંટણી જંગમાં આજરોજ ઉમેદવારીપત્ર રજૂ કરવાના અંતિમ દિવસે 34 દાવેદારી રજુ થતા ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે એવા એંધાણ મળી રહ્યા છે. યુઆઇએમાં છેલ્લી ત્રણ ટર્મથી ચાલતા એક હથ્‍થુ શાસન સામે ઉદ્યોગપતિઓમાં પરિવર્તન લાવવાની ઈચ્‍છા હોવાના સંકેતો મળી રહ્યા છે.
હાલમાં શાસન કરતી પેનલના મોવડીની ઈચ્‍છાની વિરુદ્ધ 15 સભ્‍યોની બનેલી એક પેનલે દાવેદારી રજુ કરી છે. આ પેનલમાં ઉમરગામ પાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વહીવટી જ્ઞાન ધરાવતા તેમજ કામ કરવાની ત્રેવડ જેમની પાસે છે એવા શ્રી સચીન ભાઈ કોન્‍ટ્રાક્‍ટર અને શ્રી રામશબદસિંગે પણ યુઆઈએની ચૂંટણી જંગમાં ઝંપલાવતા સમીકરણો બદલાવવાના સંકેત મળી રહ્યા છે. પેનલના અગ્રણી ઉદ્યોગપતિ અને વહીવટમાં નિપૂણ શ્રી દામોદર પાનીકર માહિતી આપતા જણાવ્‍યું હતું કે ઔદ્યોગિક વિસ્‍તારમાં જોઈએ એવી કામગીરી થવા પામી નથી. પાયાની સવલતો ઊભી કરવામાં તેમજ ઔદ્યોગિક વિસ્‍તાર સ્‍વચ્‍છ અને સુંદર બનાવવામાં નિષ્‍ફળ છે.
આ ઉપરાંત વળક્ષારોપણની કામગીરી પણ થવા પામી નથી. ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન 872 સભ્‍યોનું કદ ધરાવે છે. જેમાંથી કેટલાક સભ્‍યોની રજિસ્‍ટ્રેશન ફી ભરવાની બાકી છે જેમની અંતિમ તારીખ 19મી માર્ચ સાંજના પાંચ વાગ્‍યા સુધી નક્કી કરવામાં આવી છે. હાલમાં યુઆઇએનો જંગ બે પેનલો વચ્‍ચે ખરાખરીનો બની રહેશે એવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે.

Related posts

પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

માંડા ખાતે ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્‍ય અને જન્‍મભૂમિ પ્રત્‍યે નિઃસ્‍વાર્થ સેવા આપનારા સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટે જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

ઓલ ઈન્‍ડિયા નેશનલ ઈન્‍ડિપેન્‍ડેન્‍સ કરાટે ચેમ્‍પિયનશીપમાં વિજેતા ખેલાડીઓનું સન્‍માન કરાયું

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

vartmanpravah

Leave a Comment