April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઈએની પંદર એક્‍ઝિકયુટિવ કમિટી માટે યોજનારી ચૂંટણી જંગમાં 34 સભ્‍યોએ નોંધાવેલી દાવેદારી : બેપેનલ વચ્‍ચે ખરાખરીના જંગના એંધાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.18
આગામી 24 માર્ચના રોજ યોજનારી યુઆઇએના 15 એક્‍ઝિકયુટિવ કમિટીની ચૂંટણી જંગમાં આજરોજ ઉમેદવારીપત્ર રજૂ કરવાના અંતિમ દિવસે 34 દાવેદારી રજુ થતા ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે એવા એંધાણ મળી રહ્યા છે. યુઆઇએમાં છેલ્લી ત્રણ ટર્મથી ચાલતા એક હથ્‍થુ શાસન સામે ઉદ્યોગપતિઓમાં પરિવર્તન લાવવાની ઈચ્‍છા હોવાના સંકેતો મળી રહ્યા છે.
હાલમાં શાસન કરતી પેનલના મોવડીની ઈચ્‍છાની વિરુદ્ધ 15 સભ્‍યોની બનેલી એક પેનલે દાવેદારી રજુ કરી છે. આ પેનલમાં ઉમરગામ પાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને વહીવટી જ્ઞાન ધરાવતા તેમજ કામ કરવાની ત્રેવડ જેમની પાસે છે એવા શ્રી સચીન ભાઈ કોન્‍ટ્રાક્‍ટર અને શ્રી રામશબદસિંગે પણ યુઆઈએની ચૂંટણી જંગમાં ઝંપલાવતા સમીકરણો બદલાવવાના સંકેત મળી રહ્યા છે. પેનલના અગ્રણી ઉદ્યોગપતિ અને વહીવટમાં નિપૂણ શ્રી દામોદર પાનીકર માહિતી આપતા જણાવ્‍યું હતું કે ઔદ્યોગિક વિસ્‍તારમાં જોઈએ એવી કામગીરી થવા પામી નથી. પાયાની સવલતો ઊભી કરવામાં તેમજ ઔદ્યોગિક વિસ્‍તાર સ્‍વચ્‍છ અને સુંદર બનાવવામાં નિષ્‍ફળ છે.
આ ઉપરાંત વળક્ષારોપણની કામગીરી પણ થવા પામી નથી. ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન 872 સભ્‍યોનું કદ ધરાવે છે. જેમાંથી કેટલાક સભ્‍યોની રજિસ્‍ટ્રેશન ફી ભરવાની બાકી છે જેમની અંતિમ તારીખ 19મી માર્ચ સાંજના પાંચ વાગ્‍યા સુધી નક્કી કરવામાં આવી છે. હાલમાં યુઆઇએનો જંગ બે પેનલો વચ્‍ચે ખરાખરીનો બની રહેશે એવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે.

Related posts

ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝએસોસિએશન કાયદાની દ્રષ્ટિએ માન્‍ય કે અમાન્‍ય ચાલુ થનારી તપાસ

vartmanpravah

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

વલસાડમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે : 1ર વિવિધ સમાજના 154 જોડા પ્રભુતામાં પગલાં પાડશે :સમૂહ લગ્નમાં મુખ્‍યમંત્રી સહિત પ્રધાનો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

પ્રશાસનની ઝીરો ટોલરન્‍સની નીતિ મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

vartmanpravah

Leave a Comment