January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ઉમરકૂઇ ગામના ડુંગરપાડા વિસ્‍તારના એક ખેડૂતને જંગલ જમીનના કાયદા અનુસાર ખેતી માટે જગ્‍યાની ફાળવણી કરવામા આવી હતી. એ જગ્‍યા પર ગેરકાયદેસર દબાણ કરી નવુ મકાન બનાવવામા આવી રહ્યુ હતુ. જેને વન વિભાગ દ્વારા એને દુર કરવામા આવ્‍યુ હતુ.
પ્રાપ્ત વિગત અનુસાર પ્રભુભાઈ રહેવાસી ઉમરકૂઇ ડુંગરપાડા જેઓ હાલમાં સેલવાસ નગરપાલિકામા કોન્‍ટ્રાકટ બેઝમા ફરજ બજાવે છે. જેઓના પરિવાર દ્વારા ખેતીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાન બનાવવાની તૈયારી ચાલી રહી હતી.
જે અંગે વનવિભાગના અધિકારીને ફરિયાદ મળતા પોલીસની ટીમ સાથે ઉમરકૂઇડુંગરપાડા ગામે પોહચી હતી અને જે ગેરકાયદેસર દબાણ કરવામા આવેલ ત્‍યાંથી ખેડૂતને જે નવુ શેડ બનાવવામા આવેલ એના ઉપરના પતરા ઉતારી અને જે લાકડાઓનો ઉપયોગ કર્યો હતો, તે સહી સલામત પરત કરવામા આવ્‍યો હતો.
વનવિભાગના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ જમીન પ્રભુભાઈને ખેતી માટે ફાળવવામા આવી હતી. જ્‍યાં એમણે ગેરકાયદેસર રીતે ઘણુ મોટુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવ્‍યો હતો. એમણે બે મકાનો બનાવ્‍યા હતા જેમાંથી એક નાનુ હતુ જેને બરકરાર રાખવામા આવ્‍યુ હતુ. બીજુ જે વધારાનુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવેલ એને વનવિભાગની ટીમ દ્વારા દૂર કરવામા આવ્‍યુ છે.
આ અવસરે વન વિભાગના રેન્‍જ ફોરેસ્‍ટર શ્રી કિરણસિંહ પરમાર, શ્રી સુરજ રાઉત સહિત પોલીસની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિતે રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

સામુહિક બદલીના દોરમાં વલસાડ, ચીખલી, નવસારી, ગણદેવીના ટીડીઓની બદલી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

દાનહઃ ખેરડી પ્રાથમિક શાળામાં કુપોષણ નિવારણ સેમીનારનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment