April 24, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ઉમરકૂઇ ગામના ડુંગરપાડા વિસ્‍તારના એક ખેડૂતને જંગલ જમીનના કાયદા અનુસાર ખેતી માટે જગ્‍યાની ફાળવણી કરવામા આવી હતી. એ જગ્‍યા પર ગેરકાયદેસર દબાણ કરી નવુ મકાન બનાવવામા આવી રહ્યુ હતુ. જેને વન વિભાગ દ્વારા એને દુર કરવામા આવ્‍યુ હતુ.
પ્રાપ્ત વિગત અનુસાર પ્રભુભાઈ રહેવાસી ઉમરકૂઇ ડુંગરપાડા જેઓ હાલમાં સેલવાસ નગરપાલિકામા કોન્‍ટ્રાકટ બેઝમા ફરજ બજાવે છે. જેઓના પરિવાર દ્વારા ખેતીની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મકાન બનાવવાની તૈયારી ચાલી રહી હતી.
જે અંગે વનવિભાગના અધિકારીને ફરિયાદ મળતા પોલીસની ટીમ સાથે ઉમરકૂઇડુંગરપાડા ગામે પોહચી હતી અને જે ગેરકાયદેસર દબાણ કરવામા આવેલ ત્‍યાંથી ખેડૂતને જે નવુ શેડ બનાવવામા આવેલ એના ઉપરના પતરા ઉતારી અને જે લાકડાઓનો ઉપયોગ કર્યો હતો, તે સહી સલામત પરત કરવામા આવ્‍યો હતો.
વનવિભાગના અધિકારીઓના જણાવ્‍યા અનુસાર આ જમીન પ્રભુભાઈને ખેતી માટે ફાળવવામા આવી હતી. જ્‍યાં એમણે ગેરકાયદેસર રીતે ઘણુ મોટુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવ્‍યો હતો. એમણે બે મકાનો બનાવ્‍યા હતા જેમાંથી એક નાનુ હતુ જેને બરકરાર રાખવામા આવ્‍યુ હતુ. બીજુ જે વધારાનુ મકાન બનાવવાનો પ્રયાસ કરવામા આવેલ એને વનવિભાગની ટીમ દ્વારા દૂર કરવામા આવ્‍યુ છે.
આ અવસરે વન વિભાગના રેન્‍જ ફોરેસ્‍ટર શ્રી કિરણસિંહ પરમાર, શ્રી સુરજ રાઉત સહિત પોલીસની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ સાયન્‍સ કોલેજમાં ટીચર્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

સેલવાસ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment