પ્રદેશવાસીઓ માટે તંદુરસ્ત આરોગ્ય અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિની કરેલી કામના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01: હિંદુ ધર્મમમાં ભગવાન ગણપતિને ખાસપૂજનીય માનવામાં આવે છે. શાષાો મુજબ ગણેશજીનું નામ કોઈપણ ધાર્મિક કાર્ય માટે પહેલાં પૂજનિય છે. આથી તેમને ‘પ્રથમપૂજનિય’ પણ કહેવામાં આવે છે. આજે દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને દમણ નગરપાલિકાના વોર્ડ નં.7ના કાઉન્સિલર શ્રી અસ્પી દમણિયાએ જિલ્લાની ટીમ સાથે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્થાને બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા. સાથે જ તેમના પરિવાર સાથે કાઉન્સિલર શ્રીમતી રશ્મિબેન હળપતિ, વોર્ડ નં.7 ઢાકલીની વાડીમાં મંજુબેનના ઘરે, વિશ્વકર્મા મંદિર અને ટેક્ષી સ્ટેન્ડ ખાતે સ્થાપિત ગણપતિ બાપ્પાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ સાથે વિઘ્નહર્તા પાસે દાહન અને દમણ-દીવ પ્રદેશવાસીઓ માટે તંદુરસ્ત આરોગ્ય અને સુખ-શાંતિ થતા સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.