(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
દાનહમાં આજરોજ નવો 01 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 02 સક્રિય કેસ છે, અત્યાર સુધીમા 6301 કેસ રીકવર થઇ ચુકયા છે. ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 14 નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાંથી 01 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 360 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલમાં પ્રદેશમાં 01 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયુ છે.આજરોજ 01 દર્દી રીકવર થતા રજા આપવામા આવી હતી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે 134 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 444717 અને બીજો ડોઝ 333519 વ્યક્તિઓને આપવામા આવ્યો છે. પ્રેકયુશન ડોઝ 3050 વ્યક્તિઓને આપવામા આવ્યા છે. કુલ 781286 લોકોને વેક્સીન આપવામા આવી છે.