(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીને પોલિયો મુક્ત કરવાની ઝુંબેશમાં સ્વાસ્થ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો. જે અંતર્ગત દાદરા નગર હવેલીમાં જન્મેલા બાળકથી લઈ પાંચ વર્ષ સુધીના 44000 બાળકોને 224 બૂથ પર પોલિયોના ટીપા પિવડાવવામાં આવ્યા હતા. સેલવાસમાં પાંચ જગ્યા પર કલેકટર કચેરી, બસ સ્ટેન્ડ, પ્રાઈવેટ બસ સ્ટેન્ડ, ઝંડાચોક અને વિનોબાભાવે સિવિલ હોસ્પિટલ સહિત પ્રદેશમાં મોબાઈલ યુનિટ દ્વારા પણ કન્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરોના બાળકોને પણ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. વિવિધ સંસ્થાઓ સહિત સ્કાઉટ ગાઈડની ટીમે પણ નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા.