April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતપારડીવલસાડવાપી

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં રક્‍તદાતાઓ રક્‍તદાન કર્યું: સમિતિનો 11મો રક્‍તદાન કેમ્‍પ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13
વાપી વિસ્‍તારમાં સમાજસેવી સંસ્‍થા અને મંડળો દ્વારા રક્‍તદાન જેવી માનવતા ભરી કામગીરીઓ અવિરત ચાલતી રહે છે તે અંતર્ગત આજે રવિવારે રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ખાતે વાપી શ્રી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાપી રોટરી રિવરસાઈડ, ન્‍યુ કેમ બ્‍લડ બેન્‍કના સહયોગથી વાપી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા આજે રાજસ્‍થાન ભવનમાં રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે 9 થી સાંજના 5 કલાક સુધી યોજાયેલ કેમ્‍પમાં રક્‍તદાતાઓએ ઉત્‍સાહભેર રક્‍તદાન કર્યું હતું. સમિતિના કાર્યકર રાજુભાઈ પંચાલ, નારાયણ પંચાલ, રમેશભાઈ પંચાલ, દિપકભાઈ પંચાલ સહિત રાજસ્‍થાન ભવનના ટ્રસ્‍ટી બી.કે. દાયમા સહિતના અગ્રણીઓએ સરાહનીય સેવા ફરજ બજાવીને રક્‍તદાન કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો.

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન હેઠળ દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા તિરîગા યાત્રા યોજાઈ

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

vartmanpravah

પ્રશાસકપ્રફુલભાઈ પટેલની સીધી વાત સંઘપ્રદેશમાં શરૂ થયેલી શૈક્ષણિક ક્રાંતિથી ભાવિ પેઢીને પોતાના નવા સપનાને સાકાર કરવા અનેક અવસરો મળશે

vartmanpravah

અયોધ્‍યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિત્તે દમણના ‘દિલીપનગર ડેવલપમેન્‍ટ એસો.’ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ભક્‍તોનું ઉમટેલું ઘોડાપૂર

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ

vartmanpravah

Leave a Comment