Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતપારડીવલસાડવાપી

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ રક્‍તદાન શિબિરમાં રક્‍તદાતાઓ રક્‍તદાન કર્યું: સમિતિનો 11મો રક્‍તદાન કેમ્‍પ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13
વાપી વિસ્‍તારમાં સમાજસેવી સંસ્‍થા અને મંડળો દ્વારા રક્‍તદાન જેવી માનવતા ભરી કામગીરીઓ અવિરત ચાલતી રહે છે તે અંતર્ગત આજે રવિવારે રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ખાતે વાપી શ્રી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વાપી રોટરી રિવરસાઈડ, ન્‍યુ કેમ બ્‍લડ બેન્‍કના સહયોગથી વાપી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા આજે રાજસ્‍થાન ભવનમાં રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે 9 થી સાંજના 5 કલાક સુધી યોજાયેલ કેમ્‍પમાં રક્‍તદાતાઓએ ઉત્‍સાહભેર રક્‍તદાન કર્યું હતું. સમિતિના કાર્યકર રાજુભાઈ પંચાલ, નારાયણ પંચાલ, રમેશભાઈ પંચાલ, દિપકભાઈ પંચાલ સહિત રાજસ્‍થાન ભવનના ટ્રસ્‍ટી બી.કે. દાયમા સહિતના અગ્રણીઓએ સરાહનીય સેવા ફરજ બજાવીને રક્‍તદાન કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો.

Related posts

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

ભારત સરકારના ફરજીયાત શિક્ષણના અધિનિયમ અંતર્ગત દમણમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં 15 ખાનગી શાળાઓમાં 308 વિદ્યાર્થીઓ અને દીવમાં બે ખાનગી શાળામાં 13 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

vartmanpravah

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment