રાજસ્થાન ભવનમાં યોજાયેલ રક્તદાન શિબિરમાં રક્તદાતાઓ રક્તદાન કર્યું: સમિતિનો 11મો રક્તદાન કેમ્પ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13
વાપી વિસ્તારમાં સમાજસેવી સંસ્થા અને મંડળો દ્વારા રક્તદાન જેવી માનવતા ભરી કામગીરીઓ અવિરત ચાલતી રહે છે તે અંતર્ગત આજે રવિવારે રાજસ્થાન ભવન સેલવાસ રોડ ખાતે વાપી શ્રી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપી રોટરી રિવરસાઈડ, ન્યુ કેમ બ્લડ બેન્કના સહયોગથી વાપી સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા આજે રાજસ્થાન ભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 થી સાંજના 5 કલાક સુધી યોજાયેલ કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સમિતિના કાર્યકર રાજુભાઈ પંચાલ, નારાયણ પંચાલ, રમેશભાઈ પંચાલ, દિપકભાઈ પંચાલ સહિત રાજસ્થાન ભવનના ટ્રસ્ટી બી.કે. દાયમા સહિતના અગ્રણીઓએ સરાહનીય સેવા ફરજ બજાવીને રક્તદાન કેમ્પ સફળ બનાવ્યો હતો.