July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીને મળી હતી મુખ્‍ય જવાબદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: રોટરી ડીસ્‍ટ્રીકટ-3060માં ગુજરાત અને મહારાષ્‍ટ્રના મળી કુલ 114થી વધારે ક્‍લબને આવરે છે અને એમાં 4000થી પણ વધુ રોટેરીયન સક્રિય રીતે સમાજ સેવાના કામો કરતા હોઈ છે ત્‍યારે દર વર્ષે એક વાર્ષિક કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવે છે. ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ગવર્નર શ્રી નિહીરભાઈ દવે અને શ્રીમતી વૈશાલીબેનના નેતૃત્‍વમાં ઈન્‍દોર ખાતે પાંચ સીતારા હોટેલ સેરાટોનમાં ભવ્‍ય કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ આયોજનમાં ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર શ્રી નિહીરભાઈ દવે દ્વારા રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીને અતિથિ વિશેષના આયોજનની મુખ્‍ય જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીના ખજાનચી રોટેરીયન શ્રી વિરલસિંહ રાજપૂતને સ્‍પેશ્‍યલ એડ ટુ મિનિસ્‍ટર ઓફ સ્‍ટેટ ફોર રૂરલ ડેવલોપમેન્‍ટ અને સ્‍ટીલ ઓફ ભારત સરકાર, શ્રી ફગ્‍ગનસીંગ કુલસ્‍તેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ જવાબદારીને નિભાવવા અને કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા રોટરી ક્‍લબ દા.ન.હ.ના સદસ્‍યો ઈન્‍દોર પહોંચ્‍યા હતા હતા જ્‍યાં તેમણે અતિથિ વિશેષ મિનિસ્‍ટર શ્રીફગ્‍ગનસીંગ કુલસ્‍તેના ભવ્‍ય સ્‍વાગત માટે પ્રેસિડેન્‍ટ શ્રી મિલન પટેલ, સેક્રેટરી શ્રી મેઘાવીન પરમાર, ખજાનચી શ્રી વિરલ રાજપૂત, શ્રી યશવંતસિંહ પરમાર તેમજ શ્રી રાજેશ ગુપ્તા અને ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર શ્રી નિહીરભાઈ દવે સાથે ઉપસ્‍થિત રહી ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. આ કોન્‍ફરન્‍સનો શુભારંભ મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ શ્રી મંગુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કોન્‍ફરન્‍સના મુખ્‍ય વક્‍તા તરીકે બી.કે. શિવાની દીદી, મનિન્‍દરજીતસીંગ બિટ્ટા, મેજર જનરલ જી.ડી. બક્ષી, શ્રી દિપક વોરા, શ્રી મયંક ગાંધી તેમજ અન્‍ય વક્‍તાઓ દ્વારા સંબોધવામાં આવી હતી. રંગારંગ કાર્યક્રમ પૂર્વા મંત્રીએ જમાવ્‍યો હતો.

Related posts

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

vartmanpravah

Leave a Comment