વલસાડ-વાપીમાં ભાવિકો ડ્રેસકોડ સાથે જોડાયા :
પૂઢચ્યા વર્ષી લવકર્યાના ગગનભેદી નારા ગુંજ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: ગણેશ ચતુર્થીના શુભ દિનથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવનાં દબદબાપૂર્વક પ્રારંભ થયો હતો. સેંકડો સુશોભિત ડેકોરેશન અને લાઈટીંગથી સજ્જ બનાવાયા હતા. અલગ અલગ પંડાલોમાં જુદી જુદી થીમ સાથે ગણેશજીની મૂર્તિઓ ભાવિકોએસ્થાપના કરી પૂજા-અર્ચના કરી હતી.
ગણેશ મહોત્સવમાં મહિમા અનુસાર દોઢ, ત્રણ, પાંચ, સાત અને દશ દિવસીય મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી. ત્યારબાદ ગણેશ વિસર્જનનો દોર ચાલુ થઈ ગયો હતો. રોજેરોજ નદિ કિનારે, ઓવારે કે દરિયામાં આજે ભાવિકોએ મૂર્તિ વિસર્જન કર્યા હતા. ગણેશ મહોત્સવનો આજે અંતિમ દિવસે ભાવિકોએ તમામ શ્રીજીની મૂર્તિઓનું આદરભાવ ભક્તિ સાથે વિશાળ વિસર્જન યાત્રાઓ સમગ્ર જિલ્લામાં યોજાઈ હતી. ડીજેના તાલે હજારો ભાવિકો ઝુમતા-નાચતા દુંદાળા દેવની વિદાય આપી અગલે બરસ લૌકરિયાનું વચન પણ લીધું હતું.