Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લાના પેન્‍શનરો કે જેઓ ૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયા હોય અથવા તેમની ધર્મપત્‍ની કે પેન્‍શનર હોય તેવા પેન્‍શનરોને જ્‍યેષ્‍ઠ નાગરિક (પેન્‍શનર) મંડળ વલસાડનો સંપર્ક સાધવા જણાવાયું છે. મંડળની મુલાકાતે આવે ત્‍યારે પી.પી.ઓ. બુક, બેંકની પાસબુક અને સર્વિસબુક હોય તો તે સાથે લઇને આવવાનું રહેશે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ પશન/૧૦૨૦૨૨/ સીએમ-૯૯/પી, તા.૯-૩-૨૨થી જે પેન્‍શનરો તા.૧-૧-૨૦૨૦ના રોજ અથવા ત્‍યારપછી અને તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં નિવૃત્ત થયા હોય તેવા પેન્‍શનરોએ પણ ઉક્‍ત વિગતો સહિત મંડળની કચેરીમાં સોમવાર અને ગુરુવારે બપોરે ૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન વલસાડ જિલ્લા જ્‍યેષ્‍ઠ નાગરિક પેન્‍શનર મંડળ, ઇન્‍દિરા ગાંધી શોપિંગ સેન્‍ટર, પહેલા માળે, અદિના પેલેસ, સ્‍ટેશન રોડ વલસાડનો સંપર્ક સાધવા મંડળના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

સાંસદનિધિ અંતર્ગત રૂા.ર કરોડ 60 લાખના કામો સાથે દાનહની વિવિધ સમસ્‍યાઓ અને વિકાસલક્ષી મુદ્દાઓની સાંસદ કલાબેન ડેલકરે કલેક્‍ટરને કરેલી ધારદાર રજૂઆત

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે જીગ્નેશ બારીની સર્વાનુમતે વરણી

vartmanpravah

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

Leave a Comment