(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લાના પેન્શનરો કે જેઓ ૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયા હોય અથવા તેમની ધર્મપત્ની કે પેન્શનર હોય તેવા પેન્શનરોને જ્યેષ્ઠ નાગરિક (પેન્શનર) મંડળ વલસાડનો સંપર્ક સાધવા જણાવાયું છે. મંડળની મુલાકાતે આવે ત્યારે પી.પી.ઓ. બુક, બેંકની પાસબુક અને સર્વિસબુક હોય તો તે સાથે લઇને આવવાનું રહેશે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ પશન/૧૦૨૦૨૨/ સીએમ-૯૯/પી, તા.૯-૩-૨૨થી જે પેન્શનરો તા.૧-૧-૨૦૨૦ના રોજ અથવા ત્યારપછી અને તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં નિવૃત્ત થયા હોય તેવા પેન્શનરોએ પણ ઉક્ત વિગતો સહિત મંડળની કચેરીમાં સોમવાર અને ગુરુવારે બપોરે ૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન વલસાડ જિલ્લા જ્યેષ્ઠ નાગરિક પેન્શનર મંડળ, ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટર, પહેલા માળે, અદિના પેલેસ, સ્ટેશન રોડ વલસાડનો સંપર્ક સાધવા મંડળના પ્રમુખ દ્વારા જણાવાયું છે.