April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

પોલીકેબના પ્રેસિડેન્‍ટ આર.કે.કુંદનાનીએ લહેરાવેલો તિરંગો

પોલીકેબ કંપનીએ દમણથી સુરત-મુંબઈ વચ્‍ચેના કોસ્‍ટલ
હાઈવેને તિરંગાની રોશનીથી ઝગમગાવતા પ્રવાસીઓ અને
સ્‍થાનિકોને સેલ્‍ફી લેવા પડેલી મોજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દર વર્ષની જેમ દેશની નંબર વન વાયર અને કેબલ ઉત્‍પાદક પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા તેના તમામ એકમોમાં તિરંગો લહેરાવી ખુબ જ ધામધૂમથી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝ દમણના પ્રેસિડેન્‍ટ શ્રી આર.કે.કુંદનાનીએ તિરંગો લહેરાવી સ્‍વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના આપી હતી. દેશની સ્‍વતંત્રતા માટે બલિદાન આપનારા વીર સપૂતોને નમન કર્યા હતા.
આ પ્રસંગે પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ અને કાર્યક્રમના ચેરમેન શ્રી આર.કે.કુંદનાનીને સિક્‍યોરીટી મેનેજર શ્રી મુકેશ વૈષ્‍ણવ દ્વારા પેન્‍સિલ સ્‍કેચથી બનાવવામાં આવેલ શાનદાર તસવીર ભેટ આપી પારંપારિકરીતે સન્‍માન કર્યું હતું.
પોલીકેબ કંપનીએ દમણથી મુંબઈ અને સુરત તરફ જવાવાળા કોસ્‍ટલ હાઈવેને તિરંગાની રોશનીથી ઝગમગાવતા અહીંના સ્‍થાનિકો અને પ્રવાસીઓએ બિરદાવી પોતાની સેલ્‍ફી પણ લીધી હતી. આ કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓ સાથે ઉચ્‍ચ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

દમણમાં જાહેર બાંધકામ વિભાગની ઉદાસિનતા અને લાપરવાહીથી દર વર્ષે ઉનાળામાં થતો પાણીનો કકળાટ

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

Leave a Comment