Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.23
આદિત્‍ય એનજીઓએ 23મી માર્ચે શહીદ દિવસની ઉજવણી કરી હતી. શહીદ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરીને,આદિત્‍ય એનજીઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં સાંજે 5:30 કલાકે જલારામ કોમ્‍પ્‍લેક્ષથી નરોલી ચારરસ્‍તા સુધી કેન્‍ડલ માર્ચ નીકળી હતી. કેન્‍ડલ માર્ચમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.
નરોલી ચાર રસ્‍તા પરના શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમમાં લોકોએ મીણબત્તીઓ સળગાવીને મા ભારતી, શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુને યાદ કરીને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
કેન્‍ડલ માર્ચ બાદ નરોલીના નરીમાન પોઈન્‍ટ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આદિત્‍ય એનજીઓના અધ્‍યક્ષ શ્રી યોગેશસિંહ સોલંકીએ અમર શહીદ ભગતસિંહ અને ભગતસિંહના સાથી શહીદ સુખદેવ, શહીદ રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્રાણેય શહીદોના જીવન-દર્શન પર પ્રકાશ નાંખ્‍યો હતો. તેમણે ઉત્‍સાહ સાથે દેશભક્‍તિના સુત્રોચ્‍ચાર સાથે લોકોમાં દેશભક્‍તિનો સંચાર કર્યો હતો.
આ ઉપરાંત શ્રી યોગેશસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે આપણે નરોલીને વ્‍યસન મુક્‍ત બનાવવાની છે. જેમા દરેક વ્‍યક્‍તિએ સહયોગ આપવો જોઈએ.
આદિત્‍ય એનજીઓના ડાયરેક્‍ટર જુલી સોલંકીએ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુ વિશે વિગતવાર જણાવ્‍યું. તેમણે પોતાના છટાદાર ભાષણથી લોકોમાં દેશભક્‍તિની ભાવના જગાડી. અન્‍ય વક્‍તાઓએ પણ શહીદોને યાદ કરીઅસરકારક વક્‍તવ્‍ય આપ્‍યા હતા. શહીદ દિવસના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 350થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
આ અવસરે નરોલી સરપંચ શ્રી ધર્મેશભાઈ તથા નરોલી ગ્રામ પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્‍યો, ગ્રામજનો, આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. આદિત્‍ય એનજીઓ ગળપ સમૂહ લગ્ન, સરકારી યોજનાઓના પ્રચાર જેવા જનજાગળતિના કાર્યક્રમોનું છેલ્લા ઘણા વર્ષોથી આયોજન કરતું આવ્‍યું છે.

Related posts

ભર ઉનાળે કરા સાથે કમોસમી વરસાદ: ચીખલી અને વાંસદા તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકયો

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

વાપી ચલા શ્રી રંગ અવધૂત કુટિર ખાતે 127મી રંગ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

ઉમરગામમાં વ્યસનના રવાડે ચઢેલા પતિનું અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી સંસાર થાળે પાડયો

vartmanpravah

Leave a Comment