Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં શરદપૂર્ણિમા દિવસની ઉત્‍સાહભેર ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા વચનામૃતમ સભાખંડમાં સભાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં શ્રવણ ગ્રુપના શિક્ષકો દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં પ્રથમ શ્‍લોકો દ્વારા સભાની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં શરદ પૂર્ણિમાનો પાવન પર્વ હોય આ પાવન અવસરે માતાજીની સ્‍તુતિ, શ્રીકળષ્‍ણની વંદના, ભજન સાથે જ શરદપૂર્ણિમાના ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ગરબામાં ધોરણ 3, 4 અને 5 ની વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબે ઘૂમી કાર્યક્રમને વધારે આહલાદક બનાવ્‍યો હતો. સાથે જ શરદપૂર્ણિમાને રાસ પૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા તરીકે એમ ભારતભરના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવતી હોય આ દિવસે શ્રીકળષ્‍ણ મહારાસ કરે છે. શરદપૂર્ણિમાનું મહત્‍વ, દૂધ પૌઆ ખાવાનો રિવાજ તેમજ ચંદ્ર સોળે કળાએ ખીલતો હોયસોળે કળાઓ અંગે ધોરણ 12 ની વિદ્યાર્થીની તૃષા દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ સાથે 16 ઓક્‍ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ અને એનેસ્‍થેસિયા દિવસ ઉજવવામાં આવતો હોય ખાદ્ય અને એનેસ્‍થેસિયા અંગે ધોરણ 10 ની વિદ્યાર્થીની પલક દ્વારા જાણકારી આપવામાં આવી હતી. બાદમાં ઓક્‍ટોબર મહિનો એટલે સ્‍વચ્‍છતા ફેલાવા અંગે જાગૃતિ ફેલાવવાનો મહિનો હોય ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓએ સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશો આપતો ડાન્‍સ રજૂ કર્યો હતો. જે બાદ પૂજ્‍ય રામ સ્‍વામીજી દ્વારા શરદપૂર્ણિમા પર્વની તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી સ્‍વચ્‍છતા અંગે દરેકને જાગૃત થવા માટે સૂચન કરવામાં આવ્‍યું હતું. અંતે તમામ વિદ્યાર્થીઓને પૂજ્‍ય રામ સ્‍વામીજી દ્વારા બોધવચનો અને આર્શીવચનો પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાનહ પ્રશાસને ભારે વરસાદ અને પૂરમાં અસરગ્રસ્‍ત બનેલા પરિવારોને તાત્‍કાલિક સમયસર રાહત સામગ્રી પહોંચાડી સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment