March 2, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સંતોષ વરઠા (ઉ.વ.18, રહેવાસી દપાડા) જે સાંજે સાડા છ વાગ્‍યાના સુમારે રખોલી દમણગંગા નદીના બ્રિજ પરથી નદીમા ઝંપલાવી દીધુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ પોહચી હતી અને યુવાનનીશોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જેહમત બાદ ફાયર વિભાગની ટીમે સંતોષની લાશને શોધી કાઢી હતી.
આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા મળેલ જાણકારી અનુસાર આ યુવાન કોઈ યુવતીના પ્રેમમાં હતો. જેના કારણે અગમ્‍ય પગલુ ભર્યું હતુ આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દમણની જે.બી. ફાર્માસ્‍યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્‍વાગાર્ડ, પોડિયમ, સ્‍પીકર સહિતની આપેલી ભેટ

vartmanpravah

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

vartmanpravah

હેગ ન્‍યાયાલયનો ચુકાદો અને ભારતમાં વિલિનીકરણ

vartmanpravah

પર્યાવરણને ખતરામાં નાખનારા વિકાસ મોડેલ માનવતા માટે યોગ્‍ય નથી પરંતુ..  સેલવાસ ન.પા. દ્વારા વિકાસના નામે વૃક્ષોનું આડેધડ કાઢવામાં આવીરહેલું નિકંદન

vartmanpravah

Leave a Comment