Vartman Pravah
સેલવાસ

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સંતોષ વરઠા (ઉ.વ.18, રહેવાસી દપાડા) જે સાંજે સાડા છ વાગ્‍યાના સુમારે રખોલી દમણગંગા નદીના બ્રિજ પરથી નદીમા ઝંપલાવી દીધુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ પોહચી હતી અને યુવાનનીશોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જેહમત બાદ ફાયર વિભાગની ટીમે સંતોષની લાશને શોધી કાઢી હતી.
આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા મળેલ જાણકારી અનુસાર આ યુવાન કોઈ યુવતીના પ્રેમમાં હતો. જેના કારણે અગમ્‍ય પગલુ ભર્યું હતુ આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ રખોલી પોલીસ કરી રહી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

દેશના ભવ્‍ય ઈતિહાસને જીવંત કરતા પ્રધાનમંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું આહ્‌વાન

vartmanpravah

મસાટ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી. સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણમાં 11, દાનહમાં 14 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment