Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.04 : રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્‍પાદનોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લઘુતમ ટેકાના ભાવે ઉત્‍પાદનની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં ખરીફ માર્કેટિંગ સિઝન 2022-’23 અંતર્ગત ડાંગરની ખરીદી આગામી તા.17-10-2022 થી 31-12-2022 દરમિયાન ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લી. વલસાડના ખરીદ કેન્‍દ્રો વલસાડ, પારડી, સંજાણ, ધરમપુર, કપરાડાના ગોડાઉનો ખાતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂા.2040/ પ્રતિ ક્‍વિન્‍ટલ, ડાંગર (ગ્રેડ -એ) માટે રૂા. 2060/ પ્રતિ ક્‍વિન્‍ટલ નિયત કરવામાં આવ્‍યા છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્‍છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી વલસાડ જિલ્લાના ઉપરોક્‍ત ખરીદી કેન્‍દ્રો દ્વારા તા.01-10-2022થી શરૂ કરવામાં આવી છે. જે તા.31-10-2022 સુધી ચાલુ રહેશે.
નોંધણી માટે ખેડૂતોએ જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન 7/12, 8 અ ની નકલ, નમુના12માં પાક વાવણી અંગે એન્‍ટ્રી નહીં થઈ હોય તો પાક વાવ્‍યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેન્‍ક એકાઉન્‍ટની પાસબુકની નકલ અથવા કેન્‍સલ ચેકની નકલ (IFSC કોડ સહિત) લાવવાના રહેશે. તેમજ ખેડૂતોને તેમનો જથ્‍થો સાફસુફ તથા ચારણો(ચાળી કાઢવા)કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકાવી ખરીદ કેન્‍દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્‍થો અસ્‍વીકૃત ન થાય.
રજીસ્‍ટ્રેશન બાબતે કોઈ મુશ્‍કેલી જણાય તો હેલ્‍પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવો. રજીસ્‍ટ્રેશન તેમજ ખરીદ કેન્‍દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી. જેની ખેડૂતોએ ખાસ નોંધ લેવી.

Related posts

દમણમાં સાદગી સાથે પરંપરાગત રીતે માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબે ઉજવેલો નારિયેળી પૂર્ણિમાનો ઉત્‍સવ

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા

vartmanpravah

નવસારી એસ.ઓ.જી.ની ટીમે ખેરગામના ધામધુમાથી લાકડા ભરેલ વગર નંબરની પીકઅપ સાથે 2 ઈસમોની અટક કરી

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

Leave a Comment