January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાજ્‍ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગરની સીધી ખરીદી કરશે : ખરીદી કેન્‍દ્રો ખાતે તા.31મી ઓક્‍ટોબર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે : જિલ્લાના ગોડાઉનો ખાતે 17મી ઓક્‍ટોબરથી 31મી ડિસેમ્‍બર સુધી ખરીદી થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ તા.04 : રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્‍પાદનોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લઘુતમ ટેકાના ભાવે ઉત્‍પાદનની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં ખરીફ માર્કેટિંગ સિઝન 2022-’23 અંતર્ગત ડાંગરની ખરીદી આગામી તા.17-10-2022 થી 31-12-2022 દરમિયાન ગુજરાત રાજ્‍ય નાગરિક પુરવઠા નિગમ લી. વલસાડના ખરીદ કેન્‍દ્રો વલસાડ, પારડી, સંજાણ, ધરમપુર, કપરાડાના ગોડાઉનો ખાતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂા.2040/ પ્રતિ ક્‍વિન્‍ટલ, ડાંગર (ગ્રેડ -એ) માટે રૂા. 2060/ પ્રતિ ક્‍વિન્‍ટલ નિયત કરવામાં આવ્‍યા છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્‍છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી વલસાડ જિલ્લાના ઉપરોક્‍ત ખરીદી કેન્‍દ્રો દ્વારા તા.01-10-2022થી શરૂ કરવામાં આવી છે. જે તા.31-10-2022 સુધી ચાલુ રહેશે.
નોંધણી માટે ખેડૂતોએ જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન 7/12, 8 અ ની નકલ, નમુના12માં પાક વાવણી અંગે એન્‍ટ્રી નહીં થઈ હોય તો પાક વાવ્‍યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેન્‍ક એકાઉન્‍ટની પાસબુકની નકલ અથવા કેન્‍સલ ચેકની નકલ (IFSC કોડ સહિત) લાવવાના રહેશે. તેમજ ખેડૂતોને તેમનો જથ્‍થો સાફસુફ તથા ચારણો(ચાળી કાઢવા)કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકાવી ખરીદ કેન્‍દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્‍થો અસ્‍વીકૃત ન થાય.
રજીસ્‍ટ્રેશન બાબતે કોઈ મુશ્‍કેલી જણાય તો હેલ્‍પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવો. રજીસ્‍ટ્રેશન તેમજ ખરીદ કેન્‍દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી. જેની ખેડૂતોએ ખાસ નોંધ લેવી.

Related posts

વાપીમાં માઁ ઉમિયાના દિવ્‍યરથનું સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મોંઘીદાટ બીએમડબલ્‍યુ કારમાંથી 1.29 લાખનો દારૂ ઝડપાયો

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીએ 15 જુલાઈ સુધીમાં હયાતીનું વેરીફીકેશન કરાવી લેવું

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment