September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.16:
સમગ્ર ગુજરાતમાં 1ર થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવાના રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમ અન્‍વયે વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવામાં આવી છે. શિક્ષણ અને સંકલિત બાળ વિકાસ વિભાગ સહિત અન્‍ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવાનું સુચારુ આયોજન કરાયું છે. આ અભિયાનના પ્રથમ દિવસે એટલે કે તા.16/3/2022ના રોજ સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં વલસાડ જિલ્લાના 2858 બાળકોને રસી આપવામાં આવી હતી. જેમાં વલસાડ તાલુકાના 851, પારડી તાલુકાના 214, વાપી તાલુકાના 1025, ઉમરગામ તાલુકાના 605, ધરમપુર તાલુકાના 50 અને કપરાડા તાલુકાના 113 બાળકોનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં આરોગ્‍યકર્મીઓ, શાળાના શિક્ષકો, આંગણવાડીવર્કરો તથા અન્‍ય પદાધિકારીઓની સહયોગ પ્રાપ્‍ત થયો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોમાં કોવિડ -19 રસીકરણ માટે અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે.જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા બાળકોને કોવિડ-19થી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા રસીકરણનો પ્રચાર-પ્રસાર, ગૃહ મુલાકાત લઇ રસીકરણ પ્રત્‍યે જનજાગૃતિ કેળવી રસીકરણનો વ્‍યાપ વધારવા તમામ પ્રયાસો હાધ ધરવામાં આવી રહયા હોવનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.
-000-

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલ સંઘપ્રદેશના ચાર વિદ્યાર્થીઓને જલ્‍દી સુરક્ષિત પરત લાવવામાં પ્રશાસન હરસંભવ પ્રયાસ કરશે : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરની અક્ષમ્‍ય બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી નિધન

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની ભારત સરકારના વાણિજ્‍ય-ઉદ્યોગ મંત્રાલયની કમિટીમાં નિમણૂંક

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

Leave a Comment