August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના

દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચ મુકેશ ગાોસવી, સરપંચ શંકર પટેલ અને અન્‍ય સરપંચો તથા પંચાયતના સભ્‍યો અને કાઉન્‍સિલરોની ટીમ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ ગુજરાતના નર્મદા જિલ્લામાં પ્રવાસીઓમાં માટે બનેલ આકર્ષણનું કેન્‍દ્ર કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સહયાત્રા એટલે કે સમાવિષ્ટ સમળદ્ધિ અને સુરક્ષા તરફની યાત્રાના ભાગરૂપે, આજે દમણ જિલ્લાની સ્‍થાનિક સ્‍વરાજ સંસ્‍થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક ટીમ કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં હાજરી આપવા દમણથી રવાના થઈ હતી.
જેમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, સોમનાથ-એ જિલ્લા પંચાયત સભ્‍ય રીના હરીશ પટેલ, સોમનાથ-બી જિલ્લા પંચાયત સભ્‍ય વર્ષિકા પટેલ તેમજ જિલ્લા પંચાયતના અન્‍ય સભ્‍યો સહિત દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, સરપંચ શ્રી શંકરભાઈ પટેલ અને અન્‍ય સરપંચો અને પંચાયતના સભ્‍યોની ટીમ સહિત કાઉન્‍સિલરોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ક્ષમતા નિર્માણકાર્યશાળા હેઠળ તેમની કાર્યક્ષમતા વધુ મજબૂત બનાવવાની સાથે અનેક અનુભવો પણ પ્રાપ્ત થશે.

Related posts

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ માટે ગૌરવપ્રદ ઘટના: દાનહ અને દમણ-દીવની ગર્લ્‍સ અને બોયઝની ફૂટબોલ ટીમ નેશનલ કક્ષાએ ટુર્નામેન્‍ટમાં ભાગ લેશે

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

દમણમાં પુલ દુર્ઘટના બાદ શરૂ કરાયેલી મફત બસ સેવાના કારોબારે તે સમયે પેદા કરેલા ભારે ભેદભરમો

vartmanpravah

દાનહમાંથી પસાર થતા ‘ને.હા.નં. 848-એ’ને તાત્‍કાલિક રિપેર કરાવવા કેન્‍દ્રિય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સાંસદ કલાબેન ડેલકરની રજૂઆત

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment