Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.29
દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્‍યું હતું કે, મહાવીર જયંતિ નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 14મી એપ્રિલના રોજ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત સરકારના ગળહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને, દમણ આબકારી વિભાગના આસિસ્‍ટન્‍ટ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્‍યું હતું કે, દેશમાં મહાવીર જયંતિ 14 એપ્રિલે ઉજવવામાં આવશે. મહાવીર જયંતિ પર ડ્રાય ડે હોવાથી દેશભરમાં દુકાનો, બાર અને હોટલોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે.
આ ક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સૂચના અનુસાર, સંઘપ્રદેશમાં ડ્રાય ડે રહેશે.

Related posts

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

વલસાડમાં જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે રેલી નીકળી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

vartmanpravah

Leave a Comment