દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ દરમ્યાન દુકાનોની બહાર લગાવવામા આવેલ સેડ અને પતરાંઓ જોવા મળ્યા હતા. જે સંદર્ભે પાલિકા ઈજનેર અને સ્ટાફને આદેશ આપવામા આવેલ કે નગરપાલિકા વિસ્તારના મુખ્ય રસ્તા પર જે દુકાનદારો દ્વારા પતરાં અને શેડ લગાવવામાઆવેલ છે એને હટાવવા માટે વેપારીઓને જાણ કરવામા આવી હતી અને એ પણ જણાવ્યું હતુ કે જે લોકો પતરા અથવા શેડના હટાવશે તેને પાલિકા દ્વારા દૂર કરવામા આવશે. આ આદેશ બાદ કેટલાક વેપારીઓએ સ્વૈચ્છાએ પતરાં અને શેડ દૂર કરવાની કામગીરી શરુ કરવામા આવી છે.