Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

વાપી ડેપો – પોલીસ, વહીવટી તંત્રએ રાતભર સરાહનીય કામગીરી ઉજાગર કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: છેલ્લા બે દિવસમાં રેલવેની ત્રણ દુર્ઘટના ઘટી હતી. જેમાં પ્રથમ ટ્રેન અડફેટમાં વાપી સ્‍ટેશને બે મુસાફરોના મોત એક ઘાયલ, બીજા દિવસે મંગળવારે પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન ખડી પડી અને ત્રીજી ઘટના વાપી રેલવે ફાટક સામે રેલવે એન્‍જિનરમાં ખરાબી સર્જાતા ટ્રેન બરાબર ફાટક સામે જ ખોટવાઈ હતી. જેમાં મુસાફરો-સ્‍થાનિક લોકોને ભારેહાલાકીનો સામનો કરવો પડયો હતો. પાલઘરમાં ગુડ્‍ઝ ટ્રેન ખડી પડતા મુંબઈ જતી ટ્રેનો વાપી-વલસાડમાં થોભાવી દેવાઈ હતી. જેથી વાપી રેલવે સ્‍ટેશન ઉપર મોટી સંખ્‍યામાં મુંબઈ જનારા મુસાફરો અટવાઈ પડયા હતા. જેની વ્‍હારે વાપી એસ.ટી. ડેપો આવ્‍યો હતો. તુરંત પાંચથી વધુ એકસ્‍ટ્રા બસો ચાલુ કરીને મુસાફરોને બોરીવલી સુધી પહોંચાડાયા હતા.
પાલઘર રેલવે ગુડ્‍ઝ ટ્રેન ખડી પડતા મુંબઈ જતી ટ્રેન વ્‍યવહાર બંધ થઈ ગયો હતો. પરિણામે મુસાફરો વાપી રેલવે સ્‍ટેશન ઉપર રઝળી પડયા હતા. જેની જાણ વાપી ડેપોને કલેક્‍ટર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તેથી તાબડતોબ ટ્રાફિક ઓફિસર સ્‍નેહલ પટેલ તથા સ્‍ટેન્‍ડ ઈન્‍ચાર્જ ધનસુખ પટેલએ એકસ્‍ટ્રા બસો મુંબઈ માટે વાપી રેલવે સ્‍ટેશનથી દોડાવી હતી. મુસાફરોને મોટી રાહત થઈ હતી. બસો દ્વારા મોડી રાતે મુંબઈ બોરીવલી પહોંચી ગયા હતા. ત્રીજી દુર્ઘટનામાં વાપી રેલવે ફાટક પાસે ટ્રેન એન્‍જિન ફાટક સામે જ ખોટવાતા કલાકો સુધી ફાટક બંધ રહેતા સેંકડો વાહનો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. જો કે એકાદ કલાક બાદ ફાટક ખુલી જતા વાહન વ્‍યવહાર રાબેતા મુજબ યથાવત થઈ ગયો હતો.

Related posts

આપણુ ગુજરાતઃ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતતા માટે ઇનોવેટીવ ટેક્નિક્સ અંગે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્‍કાલિક બદલી કરવા કરેલી માંગ

vartmanpravah

Leave a Comment