April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ કાર્યનો આરંભઃ વરસાદી પાણીના નિકાલની સમસ્‍યા નહીં ઉભી થાય તે માટે શરૂ કરેલા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
દમણ જિલ્લા પંચાયત દ્વારા દમણ જિલ્લાની 14 પંચાયતોમાં ગટર સફાઈના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. વરસાદની મોસમને ધ્‍યાને દમણના ગામડાઓમાં પાણી નિકાલ માટે જે ગટર બનાવવામાં આવેલ છે. તે તમામ ગટરોમાં કચરો એકઠો થવાના કારણે પાણીના નિકાલ થતો ન હતો. જે બાબતને ધ્‍યાને લઈ આજે દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી દમણના તમામ ગામડાઓમાં ગટરની સફાઈ માટે કાર્યની શરૂઆત કરાવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નવિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશો અને માર્ગદર્શનમાં આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. શ્રી નવિનભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના એ સંદેશ હતો કે કોઈપણ ગામમાં વરસાદનું પાણી એક્‍ઠુ ન રહે એ બાબતને ધ્‍યાનમાં રાખી તેમના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દમણ જિલ્લા પંચાયતના તમામ ગામડાઓમાં ગટરનાસફાઈ અભિયાનના કાર્યની શરૂઆત કરવામાં આવી છે.
વરસાદની મોસમ આવવાથી બે મહિના પહેલા આ કાર્યની શરૂઆતનું મુખ્‍ય કારણ એ છે કે વરસાદની મોસમ આવતા પહેલા ગટરની સફાઈનું કાર્ય પૂર્ણ કરી શકાય અને જેના માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, સંઘપ્રદેશ પ્રશાસન અને દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીનો આભાર વ્‍યક્‍ત કરુ છુ કે વરસાદની મોસમ આવતા પહેલા જનતાને એકઠા થતા પાણીની સમસ્‍યાથી રાહત મળે અને દમણની જનતાને હું અપીલ કરું છુ કે, આપની સમસ્‍યાના સમાધાન માટે કરવામાં આવી રહેલા આ કાર્યમાં સહયોગ કરે.

Related posts

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના જીએસટી વિભાગે કડૈયા ગ્રામ પંચાયત ખાતે નોંધણીની પ્રક્રિયા સમજાવવા યોજેલો કેમ્‍પ

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment