October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ કાર્યનો આરંભઃ વરસાદી પાણીના નિકાલની સમસ્‍યા નહીં ઉભી થાય તે માટે શરૂ કરેલા પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
દમણ જિલ્લા પંચાયત દ્વારા દમણ જિલ્લાની 14 પંચાયતોમાં ગટર સફાઈના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. વરસાદની મોસમને ધ્‍યાને દમણના ગામડાઓમાં પાણી નિકાલ માટે જે ગટર બનાવવામાં આવેલ છે. તે તમામ ગટરોમાં કચરો એકઠો થવાના કારણે પાણીના નિકાલ થતો ન હતો. જે બાબતને ધ્‍યાને લઈ આજે દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી દમણના તમામ ગામડાઓમાં ગટરની સફાઈ માટે કાર્યની શરૂઆત કરાવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નવિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશો અને માર્ગદર્શનમાં આ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. શ્રી નવિનભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના એ સંદેશ હતો કે કોઈપણ ગામમાં વરસાદનું પાણી એક્‍ઠુ ન રહે એ બાબતને ધ્‍યાનમાં રાખી તેમના માર્ગદર્શન અને નેતૃત્‍વમાં દમણ જિલ્લા પંચાયતના તમામ ગામડાઓમાં ગટરનાસફાઈ અભિયાનના કાર્યની શરૂઆત કરવામાં આવી છે.
વરસાદની મોસમ આવવાથી બે મહિના પહેલા આ કાર્યની શરૂઆતનું મુખ્‍ય કારણ એ છે કે વરસાદની મોસમ આવતા પહેલા ગટરની સફાઈનું કાર્ય પૂર્ણ કરી શકાય અને જેના માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, સંઘપ્રદેશ પ્રશાસન અને દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીનો આભાર વ્‍યક્‍ત કરુ છુ કે વરસાદની મોસમ આવતા પહેલા જનતાને એકઠા થતા પાણીની સમસ્‍યાથી રાહત મળે અને દમણની જનતાને હું અપીલ કરું છુ કે, આપની સમસ્‍યાના સમાધાન માટે કરવામાં આવી રહેલા આ કાર્યમાં સહયોગ કરે.

Related posts

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજીત દાનહના ખાનવેલ ચૌડા ખાતે સનરાહી ગ્રાઉન્‍ડમાં આયોજીત કબડ્ડી લીગ ટૂર્નામેન્‍ટમાં દૂધની ડેઅર ડેવિલ ચેમ્‍પિયન

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

પરિણામ નહીં મળે તો ચૂંટણી બહિષ્‍કારની ચિમકી સાથે: વલસાડ કાંઠા વિસ્‍તારના 12 ગામના લોકો રેતી ખનન મામલે મેદાને ઉતર્યા : રેલી કાઢી

vartmanpravah

નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેતારાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

vartmanpravah

Leave a Comment