January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.11
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે ર્બોડિંગ શાળા અને ન્‍યૂ સરસ્‍વતી હાઉસ પ્રકાશન દ્વારા ડે ર્બોડિંગ શાળામાં હિન્‍દીવર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ જે હિન્‍દી લેખક, આકાશવાણી, ઝી સલામ ચેનલ પરથી કવિતા તેમજ ગઝલ પ્રસ્‍તુતિ સાથે સંકળાયેલા છે.
હાલમાં તેઓ દિલ્‍હી પબ્‍લિક સ્‍કૂલ ગ્રેટર નોઇડા, દિલ્‍હીમાં અધ્‍યક્ષ સ્‍થાને તેમજ સી.બી.એસ.ઇ. ના પ્રમુખ રિસોર્સ પર્સન તરીકે કાર્યરત છે . આ વર્કશોપની શરૂઆત શાળાના ટ્રસ્‍ટીગણ તથા વલ્લભાશ્રમની બધી જ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા દીપ પ્રાગટય તેમજ પ્રાર્થના કરવામાં આવી હતી.પુરાણી સ્‍વામિ શ્રી લક્ષ્મીનારાયણ દાસજી તેમજ ત્‍યાં ઉપસ્‍થિત સર્વો મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ વર્કશોપના પ્રમુખ પ્રવકતા ડોં.વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ એ શિક્ષણક્ષેત્રે બદલાતી પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમજ હિન્‍દી વિષયને વિદ્યાર્થીઓ માટે વધુ સરળ બનાવવા માટેની વિવિધ પદ્ધતિઓ સમજાવી હતી. તેઓને ગીત , ગઝલ અને કવિતાઓનું પણ સારું જ્ઞાન હોવાથી તેમણે આ વર્કશોપમાં હિન્‍દી વ્‍યાકરણને ગીત, કવિતાઓ દ્વારા કેવી રીતે સમજી શકાય તે પોતે ગાઈને સમજવ્‍યું હતું.
આ વર્કશોપમાં વલસાડ, વાપી, દમણ, સેલવાસની વિવિધ સ્‍કૂલોમાથી હિન્‍દી વિભાગના શિક્ષકો અને શિક્ષિકાઓકોવિડ-19ના નિયમોનું પાલન કરીને ઉપસ્‍થિત રહ્યા હતા.
શ્રી વલ્લભ આશ્રમ ગર્લ્‍સ સ્‍કૂલના ડાયરેક્‍ટર શ્રીમતી તળપ્તિબેન સાકરીયાએ અંતમાં આ વર્કશોપની પ્રસંશા કરી પ્રેરણાદાયક સંદેશ આપ્‍યા અને ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ને ભેટ આપી આભાર વ્‍યક્‍ત કર્યો હતો. શાળાના આચાર્ય શ્રી દેવેન્‍દ્ર સિંઘે વર્કશોપની સફળતા માટે ઉપસ્‍થિત બધાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે શાળાઓમાં જ મધ્‍યાહ્‌ન ભોજન બનાવવામાં આવે એ માટેની ઉગ્ર માંગ

vartmanpravah

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

ઉમરગામ તાલુકો ભ્રષ્ટાચારના ભરડામાં: વિજીલન્‍સ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment