April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિત તમામ સમિતિઓનો કાર્યકાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી ઘણાખરા આગેવાન કાઉન્‍સિલરો પોતાનો ઉલ્લુ સીધો કરવા કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની એક ઘટનાની ચર્ચા તેજ થવા પામી છે.
ઉમરગામ પાલિકામાં વર્ષ 2020 તથી 2021માં બાંધકામ શાખામાં 11 માસ કરાર આધારીત ફરજ બજાવી ગયેલા ઈજનેર શ્રી પ્રશાંત એમ. માછીનો કાર્યકાળ ભારે વિવાદીત રહ્યો હતો. કામગીરીમાં ફરજ પ્રત્‍યે બેદરકારી તથા કામોમાં અણઆવડત વગેરે આરોપોનો સામનો કરવા પડયો હતો અને એના પરીણામે ગુજરાત તકેદારી આયોગમાં 2 પ્રકરણો અંગે તપાસ ચાલુ છે અને આ તપાસ પ્રકરણની જાણકારી તાત્‍કાલિન ચીફ ઓફિસરે મહેકમ શાખાને તારીખ 21-3-2023 ના રોજ જાવક નંબર 202 ના પત્ર દ્વારા કરવામાં આવી હતી.
હવે ઉમરગામ પાલિકામાં વહીવટ અને કારભારમાં અગ્રેસરની ભૂમિકા બજાવતા કેટલાક આગેવાનો આ વિવાદીત ઈજનેરને ફરી ફરજ ઉપર લાવવા દબાણ તેમજ કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. જે ગતિવિધિ જોતા ઘણા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.

Related posts

શતાબ્‍દી વર્ષમાં પ્રવેશેલ આર.એસ.એસ દ્વારા પારડી નગરમાં વિજ્‍યા દસમી ઉત્‍સવની ઉજવણી

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે આપેલા આમંત્રણના અનુસંધાનમાં દાનહ-દમણ-દીવની સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓના જન પ્રતિનિધિઓએ દિલ્‍હીની લીધી મુલાકાત

vartmanpravah

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

Leave a Comment