મહાત્મા જ્યોતિબા ફૂલેએ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, મહિલાઓ અને વિધવાઓના ઉત્થાન તથા અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રમાં આપેલા યોગદાનની સરપંચ મુકેશ ગોસાવીએ આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે રાષ્ટ્ર નિર્માતા મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી. દમણવાડા પંચાયતના પટાંગણમાં આયોજીત સભામાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ રાષ્ટ્ર નિર્માતા જ્યોતિબા ફૂલેએ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, મહિલાઓ અને વિધવાઓના ઉત્થાન તથા અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રમાં આપેલા યોગદાનની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્ય શ્રી વિષ્ણુ બાબુ, ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના સભ્ય શ્રીમતી પ્રિતીબેન હળપતિ, શ્રીમતીઉર્વિશાબેન બારી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.