(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલીના મહેસુલ વિભાગ દ્વારા કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાનું અભિયાન ચાલી રહેલ છે. જેમા સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલીપટેલાદના કનાડી અને ખરડપાડા ગામના કુલ 11 જગ્યા પર ગેરકાયદેસર બાંધકામોને હટાવવામા આવ્યા હતા. જેમાં એક જગ્યા પર મોટી ઇમારત હતી એને ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્યક્તિએ જાતે જ બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.