વલસાડ તા.૨૨: વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી બંધ પડેલ દુકાનની ફાળવણી, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ અને આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણમાં લાભાર્થીઓની સંખ્યા વધારવા, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી, ઉજ્જવલા યોજનાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, વલસાડ, ધરમપુર અને ઉમરગામના ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણલાલ પાટકર, સમિતિના સદસ્યો, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર એન. એ. રાજપૂત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કાજલ ગામીત તેમજ જિલ્લાના તમામ મામલતદારો અને સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.