March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.25
ચીખલી તાલુકાની નવીઅમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. પંચાયત ઘર માટે જમીન દાનમાં આપનાર પરભુભાઈ પવારનું મંત્રીના હસ્‍તે શાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
વિસ્‍તાર અને વસ્‍તીની દૃષ્ટિએ મોટી ગણાતી રુમલા ગ્રામ પંચાયતનું કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની સુચના બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે વિભાજન કરી નવી આંબાપાડા ગ્રામ પંચાયતની જાહેરાત કરાઇ હતી. આ નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના મકાન માટેનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્‍તે જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી બાલુભાઈ પાડવી, ભાજપના મહામંત્રી દિનેશભાઈ મહાકાળ, સરપંચ શ્રી મણીભાઈ દેશમુખ, પૂર્વ સરપંચ શ્રી સોમભાઈ, શ્રી ડાહ્યાભાઈ, તલાટી શ્રી કાંતિભાઈ,આંબાપાડા શ્રી નવનીતભાઈ ચૌધરી, શ્રી કૌશિકભાઈ, શ્રી લાલજીભાઈ સહિતનાઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું. ગ્રામ પંચાયતના અસ્‍તિત્‍વ સાથે 16 લાખ રૂપિયાના ખર્ચે પંચાયત ભવનના મકાનના કામનો પણ પ્રારંભ થઈ જતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ જવા સાથે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
આ પ્રસંગે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે લોકોનીસુવિધા માટે અદ્યતન ગ્રામ પંચાયત ભવનનું મકાન જરૂરી છે અને લોકોને સરળતા રહે તે માટે સમયની માંગ સાથે આંબાપાડા ગામ પંચાયતને અમલમાં મુકવામાં આવી છે અને સાથે ટૂંકાગાળામાં જ આજે મકાનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્‍યું છે. આ સાથે તેમણે પંચાયત કચેરીના મકાન માટે જમીન દાનમાં આપનાર શ્રી પરભુભાઈ પવાર પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી પેઢી દર પેઢી તેમની આ ઉડા તને યાદ કરશે તેમ ઉમેર્યું હતું.

Related posts

દમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્‍પર્ધાનું થઈ રહેલું આયોજન

vartmanpravah

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

vartmanpravah

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપના પદાધિકારીઓને મિશન-2024ની સફળતાનો આપેલો મંત્ર

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી આવાસ યોજના”ની લાલચ આપી લાખો રૂપિયા હડપનાર સેલવાસ ન.પા.ના કર્મચારીએ આપ્‍યું રાજીનામું

vartmanpravah

Leave a Comment