January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામે કંપનીનો ગેટ પડતા વોચમેનનું કરુણ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દાદરા નગર હવેલીના દાદરા ગામે નવનિર્મિત કંપનીનો ગેટ અચાનક તૂટી પડતા વોચમેનનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા ગામે ફેક્‍ટરી બિલ્‍ડીંગનું કામ પૂર્ણતાને આરે હતુ અને લોખંડનો ગેટ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. જે ગેટને એક દોરી વડે જ બાંધવામા આવ્‍યો હતો. આ ગેટ અચાનક નીચે ઢળી પડયો હતો એ સીધો ફરજ પર ઉભેલ વોચમેન રામપ્રસાદ તિવારી (ઉ.વ.54) હાલ રહેવાસી દાદરા જેના પર પડયો હતો, જેના કારણે એને ગંભીર ઈજા થઈ હતી.
આ ઘટના જોતા કંપનીમા કામ કરતા કામદારો દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવામા આવ્‍યો હતો. પરંતુ ફરજ પરના ડોકટરે એને મળત જાહેરકર્યો હતો. આ ઘટનાની જાણ થતા ઉત્તર ભારતીય સમાજના અગ્રણી પી.સી.મિશ્રા હોસ્‍પિટલ પર પહોંચી ગયા હતા. જેઓએ જણાવ્‍યું હતું કે, મરનાર વોચમેન રામપ્રસાદ મુળ બિહારનો છે અને એમની બે દીકરી અને એક દીકરો છે. પીડીત પરિવારે પોતાનો કમાઉ સભ્‍ય ગુમાવ્‍યો છે જેથી એમના પરિવારને કંપની દ્વારા યોગ્‍ય વળતર મળવું જોઈએ.
રામપ્રસાદ મુંબઈની સિકયુરીટી એજન્‍સીમાં સિકયુરીટી ગાર્ડ હતો. જેની ડયુટી દાદરાની કંપનીમાં હતી. જ્‍યાં લોખંડનો ગેટ પડતા એનું કરુણ મોત નીપજ્‍યુ હતુ.

Related posts

દાનહમાં દિવસે દિવસે વધી રહેલો રખડતા પશુઓનો વધેલો ત્રાસઃ સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે યોગ્‍ય કાર્યવાહી માટે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામની સેનાપતિપદનો ભાર સંભાળતા રાજા વાકણકરના મનમાં કદાચ યોજનાના પ્રારંભિક વિચાર સાથે જ ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ખ્‍યાલ રહ્યો હશે

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા શાનદાર આઝાદ દિને ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment