March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઈવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવી ત્‍યારથી લોકોને પડતી મુશ્‍કેલી અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

  • દાનહમાં વારંવાર જતી લાઈટ, હેલ્‍પ લાઈન નંબર લગાવ્‍યા બાદ મંગાતા કસ્‍ટમર આઈડીની પળોજણથી લોકો ત્રાહિમામ
  • દાનહના આદિવાસીઓ માટે ટોરેન્‍ટ પાવર ફરી અંધકારયુગને લઈ આવ્‍યો હોવાની થઈ રહેલી પ્રતિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27

સેલવાસ વોર્ડ નંબર ત્રણના પાલિકા સભ્‍ય દ્વારા જ્‍યારથી દાદરા નગર હવેલી ઇલેક્‍ટ્રીક ખાતું પ્રાઇવેટ કંપની ટોરેન્‍ટોને આપવામા આવેલ ત્‍યારપછી લોકોને પડતી મુશ્‍કેલીઓ અંગે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરી છે. જેમા જણાવ્‍યા અનુસાર દાનહ ઇલેક્‍ટ્રીક વિભાગ પ્રાઇવેટ કંપનીને જ્‍યારથી આપવામા આવ્‍યું તે પછીથી જે લોકોને તકલીફ લાઈટ માટે પડી રહી છે,ઘરની લાઈટો ગમે ત્‍યારે બંધ થવાથી પહેલા જે તે વિસ્‍તારમા સબ સ્‍ટેશન ઉપર ફોન કરવાથી લાઈટ રીપેર કરવા માટે આવી જતા હતા. પરંતુ ટોરેન્‍ટો પાવરવાળાને આપ્‍યા બાદ તેઓને ફોન કરવાથી ત્‍યાંથી કહેવામા આવે છે કે ટોરેન્‍ટો પાવરવાળાના હેલ્‍પલાઇન વાળા મોબાઈલ નંબર પર ફોન કરો તે કહેશે તો અમે આવીશુ.
જે હેલ્‍પલાઇન નંબર લગાવવાથી એમા અલગ અલગ ઓપ્‍સન આવેછે જેમા કસ્‍ટમર આઈડી નંબર આપવાનો હોય છે તેમજ ફોન અમદાવાદમા લાગે છે જેની હજી સુધી આખા દાનહના લોકોને આની પુરેપુરી ખબર કે આ અંગેની જાણકારી નથી. જેના કારણે લોકોને લાઇટને લગતી કોઈપણ સમસ્‍યા થાય તો લાઈટ વગર અંધારામા રેહવુ પડે છે.જેથી આપને વિનંતી છે કે દાનહમાં મોટાપાયે આદિવાસી લોકો રહે છે જેમને આ સુવિધાની હજુ સુધી પુરેપુરી જાણકારી નથી. અમુક જગ્‍યાઓ ઉપર ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારમાં મોબાઇલનું નેટવર્ક પણ આવતુ નથી તમામ લોકો હજુ સુધી યોગ્‍ય રીતે માહિતગાર થયા નથી અને ટેવાયેલા નથી જેથી થોડા સમય માટે બંને જગ્‍યાએથી એટલે કે ટોરેન્‍ટોવાળા અને દરેક પ્રદેશના સબ સ્‍ટેશનમાં ફરિયાદ લેવામા આવે કે જેથી લોકોને પડતી તકલીફોને સમયસર અને યોગ્‍ય રીતે દૂર કરી શકાય જેના પર વિચાર કરી તાત્‍કાલિક ઘટતુ કરવા વિનંતી છે.
હાલમાં ચોમાસુ આવી રહ્યુ હોય વારંવાર લાઈટ જાય છે જેની ફરિયાદ કયાં કરવાની એની પુરેપુરી માહિતી હજુ સુધી લોકોને નથી. જેના લીધે લાઈટ વગર વધારે તકલીફમા મુકાવા પડે એમ હોય પાલિકા સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલે આ વિષય પર તાત્‍કાલિક નિર્ણય લઇ ઘટતુ કરવા કલેક્‍ટરને વિનંતી કરી છે.

Related posts

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની યોગ્‍ય સત્તા સાથેની દીર્ઘદૃષ્‍ટિ અને વસ્‍તુસ્‍થિતિને સમજવાની પરખ શક્‍તિએ સંઘપ્રદેશ થ્રીડીમાં સર્જેલી ક્રાંતિ

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

vartmanpravah

ધરમપુર બેઠક ઉપર ચતુષ્કોણીય જંગઃ અપક્ષ ઉમેદવાર તરીકે આજે તા.પં. સભ્ય કલ્પેશ પટેલ ઉમેદવારી નોંધાવશે

vartmanpravah

Leave a Comment