(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.03
અગામી તા.06 જૂનથી 22મી જૂન, 2022 સુધી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત થનારી આઈકોનિક વીકની ઉજવણીના સંદર્ભમાં તા.06 જૂન, 2022ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાસંગિક વક્તવ્ય અને ડિજિટલ પ્રદર્શનીથી શુભારંભ થશે. જેના સ્ક્રિનિંગને વર્ચ્યુઅલ નિહાળવા માટે માલ અને સેવા કર વિભાગ, વડોદરા ઝોનના મુખ્ય આયુક્તે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમદમણ ખાતે આયોજીત કરેલા કાર્યક્રમમાં આમંત્રિતોને સવારે 9:30 કલાકે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.