(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ તા. 9મી જૂનના રોજ વલસાડ જિલ્લામાં તેમના મતવિસ્તારોની મુલાકાત લઈ વાપી એમના નિવાસસ્થાને રાત્રિરોકાણ કરશે. તેઓ તા.10મી જૂનના રોજ સવારે 7.00 કલાકે નવસારી જિલ્લાના ચીખલીના ખૂડવેલ મુકામે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં જવા રવાના થશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી જવા રવાના થશે જ્યાં તેઓ મતવિસ્તારોની મુલાકાત લેશે. તથા તા.11મી અને 12મી જૂનના રોજ તેમના મતવિસ્તારોની મુલાકાત લઈ વાપી ખાતે તેમના નિવાસસ્થાને રાત્રિરોકાણ કરશે. મંત્રીશ્રી 13મી જૂનના રોજ સવારે 7.00 કલાકે ગાંધીનગર જવા રવાનાથશે.