(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ પ્રદેશના આદિવાસીઓના આર્થિક ઉત્થાન હેતુ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ખાનવેલ ઉપ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી લાભાર્થીઓને મરઘીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે ખાનવેલના આંબોલી પટેલાદના ઘોઘરપાડા વેલુગામમાં 9 અને નવી વસાહત આંબોલીમાં બે મળી 11 લાભાર્થીઓને પ્રત્યેકને 50નંગ કડકનાથ નસલના 5 મરઘા અને 45 મરઘીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કડકનાથ યોજના ખાનવેલના આર્થિક રીતે કમજોર અને આદિવાસી નિવાસીઓ ખાસ કરીને મહિલાઓના માટે ક્રાંતિકારી બદલાવ સાબિત થવા જઈ રહી છે. આ યોજનાના માધ્યમથી આદિવાસી મહિલાઓ અંદાજીત ઝીરો રોકાણ સાથે સ્વરોજગારના માધ્યમથી દર મહિને છથી સાત હજાર રૂપિયાની આવક કરી શકશે. કડકનાથ મરઘી એના ઈંડા અને માસ માટે પ્રસિદ્ધ છે જે ઉચ્ચ પોષણ મૂલ્યના માટે અને જિલ્લામાં કુપોષણની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરશે એમ જણાવાઈ રહ્યું છે.
આયોજના પ્રશાસન દ્વારા આપવામાં આવતી નાણાંકીય યોજના છે, જે પસંદગી કરવામાં આવેલ લાભાર્થીને ચિક્સ અને શરૂઆતી પોલ્ટ્રી ખાદ્ય પણ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં લાભાર્થીઓને નિર્દેશ અનુસાર મરઘાંપાલન માટે શેડનું નિર્માણ કરવાની આવશ્યકતા રહેશે. હવે પછી કડકનાથ મરઘી યોજનાના લાભાર્થીઓમાં નોંધાયેલ યાદી મુજબ સિંદોની ગ્રામ પંચાયતના લાભાર્થીઓને આગામી 10 દિવસમાં વિતરણ કરવામાં આવનાર હોવાની માહિતી મળી છે.