(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11: આગામી તા.14મી એપ્રિલ, 2023ના શુક્રવારે સવારે 9:30 કલાકે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ દમણવાડા પંચાયતના પટાંગણમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રો. ડો. સતિષ પ્રિયદર્શી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને તેમની ટીમ તથા ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ દમણિયા અને તેમના કાર્યકર્તાઓએ લોકોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.