(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: કલ્પસર, મત્સ્યોદ્યોગ(સ્વતંત્ર હવાલો) પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી તા.9મી જૂનના રોજ સવારે 11-00 કલાકે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ખાતે પ્રધાનમંત્રીશ્રીના નવસારી જિલ્લાના પ્રવાસ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાનારી સંગઠનની બેઠકમાં હાજરી આપી અનુકૂળતાએ નવસારી જિલ્લાના ચીખલીના ખૂડવેલ જવા રવાના થશે. ત્યાં તેઓ કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કરી અનુકૂળતાએ કાકડકોપર જવા રવાના થશે અને ત્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. તા. 10મી જૂનના સવારે 7.00 કલાકે ખૂડવેલ જવા રવાના થશે. સવારે 9.00 કલાકે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી આપી અનુકૂળતાએ કાકડપોર જવા માટે રવાના થશે અને ત્યાં તેઓ રાત્રિરોકાણ કરશે.