Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

કડૈયા ગામના માહ્યાવંશી સમાજ માટે આસ્‍થાનું મુખ્‍ય કેન્‍દ્ર બનેલ અંબા માતાજીના પાટોત્‍સવ દરમિયાન ભક્‍તિના રંગમાં ડૂબેલું આખું ગામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા શ્રી અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કડૈયા ખાતે અંબા માતાજીનું મંદિર માહ્યાવંશી સમાજ માટે આસ્‍થાનું મુખ્‍ય કેન્‍દ્ર બનેલું છે અને કડૈયાના માહ્યાવંશી સમાજ તેમજ આજુબાજુના અન્‍ય સમાજના લોકોની સવારની શરૂઆત માતાજીના દર્શનથી થાય છે.
શ્રી અંબા માતાજીના 16મા પાટોત્‍સવ દરમિયાન કડૈયા ગામની દિકરીઓ દ્વારા માથા ઉપર કળશ અને ભાઈઓ દ્વારા માતાજીની પાલખી લઈ આખા ગામમાં શોભાયાત્રા નીકળી હતી. ઘરે ઘરે માતાજીની પાલખીની આતરી ઉતારવામાં આવી હતી. જેના કારણે સમગ્ર ગામ ભક્‍તિમય બની ગયું હતું.
દર વર્ષે માતાજીના મંદિરમાં પાટોત્‍સવ દરમિયાન થતા યજ્ઞમાં આ વર્ષે બેસવાનો લ્‍હાવો શ્રી રિતેષ મહેન્‍દ્ર આગરિયા અને શ્રીમતી રોશની રિતેશ આગરિયાની યુગલ જોડીને મળ્‍યો હતો. ત્‍યારબાદ માતાજીના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આયોજીત મહાપ્રસાદનો લાભ પણ સેંકડો લોકોએ લીધો હતો.
આ પ્રસંગે કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયાનાપૂર્વ સરપંચ અને સામાજિક આગેવાન શ્રી ગજુભાઈ પટેલ, પ્રદેશના આગેવાન મહિલા નેતા અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી તરૂણાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કડૈયાના નિવાસી અને પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મનહરભાઈ રાઠોડ, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ આગરિયા, શ્રી ગણપતભાઈ રાઠોડ, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ આગરિયા, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી શૈલેન્‍દ્રભાઈ રાઠોડ, શ્રી રાજુભાઈ આગરિયા, શ્રી દિનેશભાઈ આગરિયા, શ્રી મયુરશભાઈ રાઠોડ, શ્રી શાંતિલાલભાઈ રાઠોડ સહિત સમસ્‍ત ગામના યુવાનો અને વડિલોનો સહયોગ રહ્યો હતો.

Related posts

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

ધોડીપાડા ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયો સાતમો સર્વજાતિ સમૂહલગ્નોત્સવ: ૫૫ યુગલોએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

vartmanpravah

Leave a Comment