April 19, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી ખાતે રહેતા આશીષકુમાર પંચાલ (રહે. ફલેટ નં-501 ચિત્રકૂટ રેસિડેન્‍સી સોસાયટી તા.ચીખલી) એ આપેલ ફરિયાદમાં જણાવ્‍યાનુસાર આશીષભાઈની પત્‍ની રશ્‍મીકાબેન પંચાલ (ઉ.વ. 38) જે તા.15/10/2022ની સવારના સમયે ઘરના મુખ્‍ય દરવાજાને લોક મારી ઘરથી કોઈને પણ કહ્યા વગર નીકળી જતા પતિ દ્વારા આજુબાજુ તેમજ સગા સબંધીને ત્‍યાં શોધખોળ કરતા કોઈ ભાળ મળી ન હતી. ગુમ થનાર રશ્‍મીકાબેન પંચાલને મગજની તકલીફ થયેલ હોય અને તેણીની દવા ચાલતી હતી. જેથી માનસિક સ્‍થિતિના કારણે કયાંક ચીખલીથી બસમાં બેસી વલસાડ તરફ જતી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વધુમાં ગુમ થનાર રશ્‍મિકાબેને શરીરે રાખોડી કલરનો ડ્રેસ પહેરેલ છે. અને આછો કેસરી કલરનો દુપટ્ટો અને કમરે કાળા કલરનો પાયજામો પહેરેલ છે. બનાવની વધુ તપાસ હે.કો.સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.

Related posts

દમણમાં બાલ ભવન બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્‍પનો શુભારંભ : આજથી 31મે, 2023 સુધી ચાલનારા સમર કેમ્‍પમાં દરરોજ બાળકોને ટ્રેકિંગ, કેક મેકિંગ, સિંગિંગ, કી-બોર્ડ પ્‍લેઈંગ, કરાટે, યોગા, ડાન્‍સ વગેરે શિખવવામાં આવશે

vartmanpravah

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. કમલાશંકર રાયની 19 મી પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

Leave a Comment