(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી ખાતે રહેતા આશીષકુમાર પંચાલ (રહે. ફલેટ નં-501 ચિત્રકૂટ રેસિડેન્સી સોસાયટી તા.ચીખલી) એ આપેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર આશીષભાઈની પત્ની રશ્મીકાબેન પંચાલ (ઉ.વ. 38) જે તા.15/10/2022ની સવારના સમયે ઘરના મુખ્ય દરવાજાને લોક મારી ઘરથી કોઈને પણ કહ્યા વગર નીકળી જતા પતિ દ્વારા આજુબાજુ તેમજ સગા સબંધીને ત્યાં શોધખોળ કરતા કોઈ ભાળ મળી ન હતી. ગુમ થનાર રશ્મીકાબેન પંચાલને મગજની તકલીફ થયેલ હોય અને તેણીની દવા ચાલતી હતી. જેથી માનસિક સ્થિતિના કારણે કયાંક ચીખલીથી બસમાં બેસી વલસાડ તરફ જતી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વધુમાં ગુમ થનાર રશ્મિકાબેને શરીરે રાખોડી કલરનો ડ્રેસ પહેરેલ છે. અને આછો કેસરી કલરનો દુપટ્ટો અને કમરે કાળા કલરનો પાયજામો પહેરેલ છે. બનાવની વધુ તપાસ હે.કો.સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.