Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

આઝાદીના 75 વર્ષ સાચા પરંતુ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી છે, હિન્‍દુસ્‍તાને અમને સમાવી લીધા : બહેરામજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લાનું ઉદવાડા એટલે પારસીઓનું કાશી ગણાય છે. મુખ્‍ય ઈરામશાહ આતશ બહેરામનું પારસીઓનું મોટું ધર્મસ્‍થાન ઉદવાડામાં આવેલું છે. આજે મંગળવારે ઉદવાડા આતશ બહેરામમાં પારસી નવા વર્ષની પારસી સમુદાય દ્વારાઉજવણી કરવામાં આવી હતી. જો કે પારસીઓ ઈરાનથી પ્રથમવાર સંજાણ બંદરે ઉતર્યા હતા. પરંતુ ઉદવાડામાં તેઓ દ્વારા પ્રથમ ધર્મસ્‍થળ સ્‍થાપિત કર્યું હતું.
ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામના બહેરામજીએ આજે નૂતન વર્ષની તમામ પારસી ભાઈ-બહેનોને સાલમુબારક, અભિનંદન પાઠવીને ખાસ સંદેશ પણ આપ્‍યો હતો. આપણો દેશ આઝાદીના ગતરોજ 15 ઓગસ્‍ટે 75 વર્ષ પુરા કર્યા તે સાચી વાત છે પણ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી હતી. અમે ઈરાન છોડી હિન્‍દુસ્‍તાન આવીને વસ્‍યા. હિન્‍દુસ્‍તાને અમને સમાવી લેતા આઝાદી 1392 વર્ષ પહેલાં મળી ગઈ છે. આ પ્રસંગે તેઓએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને ખાસ યાદ કર્યા હતા. તેઓ ગુજરાતના સી.એમ. હતા ત્‍યારે ઉદવાડાને ઘણું બધુ આપ્‍યું છે.

Related posts

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

Leave a Comment