July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

આઝાદીના 75 વર્ષ સાચા પરંતુ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી છે, હિન્‍દુસ્‍તાને અમને સમાવી લીધા : બહેરામજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લાનું ઉદવાડા એટલે પારસીઓનું કાશી ગણાય છે. મુખ્‍ય ઈરામશાહ આતશ બહેરામનું પારસીઓનું મોટું ધર્મસ્‍થાન ઉદવાડામાં આવેલું છે. આજે મંગળવારે ઉદવાડા આતશ બહેરામમાં પારસી નવા વર્ષની પારસી સમુદાય દ્વારાઉજવણી કરવામાં આવી હતી. જો કે પારસીઓ ઈરાનથી પ્રથમવાર સંજાણ બંદરે ઉતર્યા હતા. પરંતુ ઉદવાડામાં તેઓ દ્વારા પ્રથમ ધર્મસ્‍થળ સ્‍થાપિત કર્યું હતું.
ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામના બહેરામજીએ આજે નૂતન વર્ષની તમામ પારસી ભાઈ-બહેનોને સાલમુબારક, અભિનંદન પાઠવીને ખાસ સંદેશ પણ આપ્‍યો હતો. આપણો દેશ આઝાદીના ગતરોજ 15 ઓગસ્‍ટે 75 વર્ષ પુરા કર્યા તે સાચી વાત છે પણ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી હતી. અમે ઈરાન છોડી હિન્‍દુસ્‍તાન આવીને વસ્‍યા. હિન્‍દુસ્‍તાને અમને સમાવી લેતા આઝાદી 1392 વર્ષ પહેલાં મળી ગઈ છે. આ પ્રસંગે તેઓએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને ખાસ યાદ કર્યા હતા. તેઓ ગુજરાતના સી.એમ. હતા ત્‍યારે ઉદવાડાને ઘણું બધુ આપ્‍યું છે.

Related posts

જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્‍પોર્ટ્‍સ ફેસ્‍ટમાં વાપી હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

vartmanpravah

ચીખલીના ખુડવેલ ખાતે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ માટે તૈયારીઓનો જારશોરથી ધમધમાટ શરૂ

vartmanpravah

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

પારડી પાલિકા દ્વારા બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ: 6 જેટલા વેપારીઓ 7પ થી ઓછી માઈક્રોનની થેલી આપતા ઝડપાયાઃ 3 હજાર જેટલો દંડ વસૂલ્‍યો

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ-સોમનાથના ડીઆઈએ હોલમાં ચાલમાલિક, ઉદ્યોગ અને લેબર કોન્‍ટ્રાક્‍ટરો સાથે પોલીસ અધિકારીઓની યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment