આઝાદીના 75 વર્ષ સાચા પરંતુ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી છે, હિન્દુસ્તાને અમને સમાવી લીધા : બહેરામજી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
વલસાડ જિલ્લાનું ઉદવાડા એટલે પારસીઓનું કાશી ગણાય છે. મુખ્ય ઈરામશાહ આતશ બહેરામનું પારસીઓનું મોટું ધર્મસ્થાન ઉદવાડામાં આવેલું છે. આજે મંગળવારે ઉદવાડા આતશ બહેરામમાં પારસી નવા વર્ષની પારસી સમુદાય દ્વારાઉજવણી કરવામાં આવી હતી. જો કે પારસીઓ ઈરાનથી પ્રથમવાર સંજાણ બંદરે ઉતર્યા હતા. પરંતુ ઉદવાડામાં તેઓ દ્વારા પ્રથમ ધર્મસ્થળ સ્થાપિત કર્યું હતું.
ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામના બહેરામજીએ આજે નૂતન વર્ષની તમામ પારસી ભાઈ-બહેનોને સાલમુબારક, અભિનંદન પાઠવીને ખાસ સંદેશ પણ આપ્યો હતો. આપણો દેશ આઝાદીના ગતરોજ 15 ઓગસ્ટે 75 વર્ષ પુરા કર્યા તે સાચી વાત છે પણ અમને આઝાદી 1392 વર્ષ પહેલાં મળી હતી. અમે ઈરાન છોડી હિન્દુસ્તાન આવીને વસ્યા. હિન્દુસ્તાને અમને સમાવી લેતા આઝાદી 1392 વર્ષ પહેલાં મળી ગઈ છે. આ પ્રસંગે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ યાદ કર્યા હતા. તેઓ ગુજરાતના સી.એમ. હતા ત્યારે ઉદવાડાને ઘણું બધુ આપ્યું છે.